મંદિરે દર્શન કર્યા પહેલા 3 યુવકો યમુના નદીમાં સ્નાન કરવા માટે ઉતર્યા, પાણીના જોરદાર પ્રવાહમાં ત્રણેય યુવકો ડૂબી ગયા – જાણો સમગ્ર ઘટના

Published on: 3:59 pm, Mon, 23 May 22

હાલમાં બનેલી એક દુઃખદાયક ઘટના સામે આવી છે. આ ઘટનામાં યમુના નદીમાં ડૂબી જવાના કારણે ત્રણ યુવકોના મૃત્યુ થયા છે. મળતી માહિતી અનુસાર 4 યુવકો બૃટેશ્વર મંદિર દર્શન કરવા માટે ગયા હતા. મંદિરે દર્શન કર્યા પહેલા 4 યુવકો યમુના નદીમાં સ્થાન કરવા માટે નીચે ઉતર્યા હતા. એક યુવક સ્નાન કરીને નદીના કિનારે બેસે છે.

અન્ય ત્રણ યુવકો નદીમાં સ્નાન કરી રહ્યા હોય છે, ત્યારે યમુના નદીના ભારે પ્રવાહમાં ત્રણેય યુવકો તણાવા લાગ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ પોલીસે તરવૈયાઓની મદદથી ત્રણેય યુવકોના મૃતદેહ નદીમાંથી બહાર કાઢ્યા હતા.

ત્યારબાદ આ ઘટનાને લઇને તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા જ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. આ ઘટના આગ્રામાં યમુના નદીમાં સવારે 9 વાગ્યાની આસપાસ બની હતી. મળતી માહિતી અનુસાર આ આજરોજ સવારે 20 વર્ષીય આશિષ, 18 વર્ષીય આયુષ, 25 વર્ષીય કન્હૈયા અને 20 વર્ષીય સૌરભ બટેશ્વર ધામ દર્શન કરવા માટે પહોંચ્યા હતા.

દર્શન કર્યા પહેલા ચારી યુવકોએ યમુના નદીમાં સ્નાન કરવા ગયા હતા. યમુના નદીમાં સ્નાન કર્યા બાદ આશિષ કિનારે આવીને બેસી ગયો હતો. આ દરમિયાન નદીમાં કન્હૈયા, સૌરભ અને આયુષ સ્નાન કરી રહ્યા હતા. ત્યારે યમુના નદીના જોરદાર પ્રવાહમાં ત્રણેય યુવકો ડૂબવા લાગ્યા હતા. આ દ્રશ્ય જોઇને આશિષ એ લોકોને મદદ માટે બોલાવ્યા પરંતુ આસપાસ કોઈ હતું નહીં.

થોડીક વારમાં તો આશિષની નજરની સામે તેના મિત્રો નદીમાં ડૂબી ગયા હતા. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને પોલીસે સ્થાનિક તરવૈયાઓની મદદથી નદીમાંથી ત્રણેયના મૃતદેહને બહાર કાઢ્યા હતા.

પોલીસે પંચનામું કર્યા બાદ ત્રણેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ ત્રણેયના મૃતદેહ તેના પરિવારજનોને સોંપવામાં આવશે. આ ઘટનાની જાણ થતાં ત્રણેયના પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. આ ઘટનામાં કન્હૈયા, સૌરભ અને આશિષનું કરુણ મૃત્યુ નીપજ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "મંદિરે દર્શન કર્યા પહેલા 3 યુવકો યમુના નદીમાં સ્નાન કરવા માટે ઉતર્યા, પાણીના જોરદાર પ્રવાહમાં ત્રણેય યુવકો ડૂબી ગયા – જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*