વિધાનસભાની ચૂંટણી પહેલાજ સી.આર.પાટીલના ગઢમાં પડ્યો ખાડો, કાર્યકરો પાર્ટી છોડી ને…

Published on: 11:51 am, Tue, 15 June 21

સુરતમાં ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી કહે છે કે સુરતને કોંગ્રેસમુક્ત બનાવવાનું છે પરંતુ કોંગ્રેસ મુક્ત બનાવવા ની જગ્યાએ ભાજપના ગઢમાં ગાબડુ પડયું. સુરતમાં ભાજપનો ગઢ ગણાતી વરાછામાં છેલ્લા કેટલાક દિવસોથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પક્ષી છોડીને અન્ય પક્ષને વિકલ્પ બનાવી રહ્યા છે.

એવામાં સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પોતાનો પક્ષ મજબૂત કર્યો હતો તેવામાં ભાજપના કાર્યકરો ધીમે ધીમે આપ માં જોડાઈ રહ્યા છે. ભાજપ પક્ષ દ્વારા ભાજપના કાર્યકરોની સમસ્યાનું નિરાકરણ ન લાવતા કાર્યકરો ભાજપ છોડીને અન્ય પક્ષમાં આ વિકટ બનાવી રહ્યા છે.

ભાજપનો દાવો હતો કે સુરતમાં પાટીદાર બહુમતિવાળા વિસ્તારોમાં ની AAP અને કોંગ્રેસની સ્પર્ધામાં ઘણા બધા મતોનું વિભાજન થાય છે અને તેના કારણે ભાજપને ફાયદો થાય છે. સુરત શહેરમાં કોંગ્રેસ ને નાબુદ કરવા માટે ભાજપ આપને આડકતરો સપોર્ટ કરતી હતી.

પરંતુ ભારતીય જનતા પાર્ટીના ઓવર કોન્ફિડન્સ ના કારણે ભાજપ નહીં પરંતુ આમ આદમી પાર્ટીને ફાયદો થયો. સુરતમાં ભાજપનો ગઢ ગણાતા સેન્ટ્રલ ઝોન અને વરાછામાં અને જગ્યાઓમાં ભાજપને વિરુદ્ધમાં બેનરો પણ લગાવવામાં આવ્યા હતા.

ભાજપના નેતાઓએ બેનર દૂર કરી દીધા પરંતુ તેમના પાર્ટીના કાર્યકરો ની સમસ્યા દૂર કરી શક્યા. જેના કારણે ઘણા કાર્યકરો ભાજપ છોડીને અન્ય પક્ષમાં જોડાઈ ગયા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "વિધાનસભાની ચૂંટણી પહેલાજ સી.આર.પાટીલના ગઢમાં પડ્યો ખાડો, કાર્યકરો પાર્ટી છોડી ને…"

Leave a comment

Your email address will not be published.


*