બાબા વેંગાએ ભારતમાં દુષ્કાળ અંગે કરી ભવિષ્ય વાણી, જો બાબા વેંગાની ભવિષ્યવાણી સાચી પડી તો સમજો કે…

Published on: 5:15 pm, Mon, 26 September 22

પોતાની ભવિષ્યવાણી અંગે જાણીતા પ્રખ્યાત બાબા વેંગાનું નામ તમે સાંભળ્યું જ હશે. ત્યારે ફરી એક વખત બાબા વેંગાની ભવિષ્ય વાણીએ લોકોની ચિંતા વધારી છે. આ વર્ષ પૂરું થવાના ત્રણ મહિના જ બાકી છે અને જો બાબા વેંગએ કરેલી ભવિષ્યવાણી સાચી પડી તો ભારતમાં દુકાળ પડે તેવી પરિસ્થિતિઓ ઊભી થઈ શકે છે.

ચિંતા એટલા માટે થાય છે કે, પહેલા પણ બાબા વેંગાએ કરેલી ભવિષ્યવાણી સાચી પડી છે. અત્યાર સુધીમાં બાબા વેંગા બે ભવિષ્યવાણી સાચી પડી છે. બાબા વેંગાએ વર્ષ 2022 અંગે લખેલી ભવિષ્યવાણીમાં કહેવામાં આવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયામાં પૂરની પરિસ્થિતિ સર્જાશે અને મોટા પ્રમાણમાં નુકસાન થશે.

બીજી ભવિષ્ય વાણીમાં કહેવામાં આવ્યું હતું કે, આખી દુનિયાના અનેક શહેરોમાં દુષ્કાળ અને જળ સંકટની પરિસ્થિતિઓ ઉભી થશે, જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. વતેના કારણે ભારત માટે આ ખૂબ જ મોટા ચિંતાના સમાચાર ગણાય છે.

બાબા વેંગાએ ભવિષ્યવાણી કરી હતી કે, એશિયાના દેશોને ભયંકર પૂરનો સામનો કરવો પડશે અને મહત્વનું છે કે 1947 પહેલા ભારતનો ભાગ રહેલું પાકિસ્તાન પૂરથી અસરગ્રસ્ત હતું. આ ઉપરાંત સુનામીમાં લોકોના મૃત્યુ થવાની પણ વાત કરવામાં આવી હતી. ધ સનમાં પ્રકાશિત રિપોર્ટ અનુસાર આ વર્ષે દુનિયામાં તાપમાનમાં ઘટાડો થશે.

જેના કારણે તીડનો પ્રકોપ ખૂબ જ વધી જશે. જેના કારણે ભોજનની શોધમાં તીડા ભારત પર હુમલો કરશે. જેના કારણે ઘણો બધો પાક નિષ્ફળ થશે અને દેશમાં અન્નના ભંડારમાં ઘટાડો થશે અને દુષ્કાળ જેવી પરિસ્થિતિઓ પેદા થઈ શકે છે. આ તમામ ભવિષ્યવાણી બાબા વેંગા દ્વારા કરવામાં આવી છે.

મિત્રો સોશિયલ મીડિયામાં લોકોનું એવું માનવું છે કે, આ બાબા વેંગાની અનેક ભવિષ્યવાણી અનેક વખત ખોટી સાબિત થાય છે. એટલે ડરવાની જરૂર નથી. અમે તમને બાબા વેંગાની ભવિષ્યવાણીથી ડરાવવા નથી માંગતા. પરંતુ તેમની આગળની બે ભવિષ્યવાણી સાચી પડે છે. એટલે તમારા સુધી માહિતી પહોંચાડીએ છીએ કે બાબા વેંગાએ આ રીતની પણ ભવિષ્યવાણી કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "બાબા વેંગાએ ભારતમાં દુષ્કાળ અંગે કરી ભવિષ્ય વાણી, જો બાબા વેંગાની ભવિષ્યવાણી સાચી પડી તો સમજો કે…"

Leave a comment

Your email address will not be published.


*