રાત્રે પતિએ કુહાડી વડે પોતાની પત્નીનો જીવ લઈ લીધો, પિતાએ 4 બાળકોને માં વગરના કરી નાખ્યા… જાણો રાત્રે પતિ-પત્ની વચ્ચે એવું તો શું થયું હશે…

Published on: 10:54 am, Mon, 19 December 22

સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે જીવ લેવાની ઘટનાઓ વધી રહે છે. ત્યારે હાલમાં બનેલી તેવી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક પતિએ કુહાડી વડે પોતાની પત્નીનો જીવ લઈ લીધો હતો. સવારે જ્યારે બાળકો જાગ્યા ત્યારે બાળકોએ પોતાની માતાનું મૃતદેહ જોઈને ચોકી ઉઠ્યા હતા. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી.

પોલીસની પૂછપરછ દરમિયાન મહિલાના પતિએ પોતાનો ગુનો કબુલ કર્યો હતો. સાવ નાની એવી બાબતમાં આરોપી પતિ રાત્રે પોતાની પત્નીનો જીવ લઈ લીધો હતો. તો ચાલો જાણીએ રાત્રે તો બંને વચ્ચે એવું તો શું થયું હશે. આ ચોકાવનારી ઘટના મધ્યપ્રદેશના બરવાનીનો છે. આ ઘટના શનિવારના રોજ રાત્રે 12:00 વાગ્યાની આસપાસ બની હતી.

બાળકો અંદરની રૂમમાં સૂતા હતા અને પતિ પત્ની બહારના વલમાં સુતા હતા. રાત્રે લગભગ 10:00 વાગ્યાની આસપાસ પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ માતાએ પોતાના ચારેય બાળકોને સુવડાવી દીધા હતા. ત્યારે લગભગ 12.45 વાગ્યાની આસપાસ બંને વચ્ચે ફરી એક વખત ઝઘડો થયો હતો અને આ વખતે ઝઘડો ખૂબ જ વધી ગયો.

ગુસ્સામાં ભરાયેલા આરોપી પતિએ ત્યારબાદ કુહાડી લઈને પોતાની પત્ની ઉપર પ્રહાર કર્યા હતા. જેના કારણે પત્નીનું ઘટના સ્થળે જ મોત થયું હતું. સવારે બાળકો જાગ્યા ત્યારે તેમને પોતાની માતાને મૃત હાલતમાં જોઈ હતી. ત્યારબાદ 22 વર્ષની મોટી દીકરીએ આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ ફરિયાદ કરી હતી.

ઘટનાની માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસે જણાવ્યું કે લીના ગુર્જર નામની મહિલા એક ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી હતી અને તેનો પતિ દેવેન્દ્ર ગુર્જર કોઈ કામ કરતો ન હતો. આરોપી પતિ પોતાની પત્નીના ચારિત્ર પર હંમેશા શંકા કરતો હતો.

શનિવારના રોજ આ બાબતને લઈને બંને વચ્ચે ઝઘડો પણ થયો હતો. પોલીસે શંકાના આધારે મહિલાના પતિની પૂછપરછ કરી ત્યારે આરોપી પતિએ પોતાનો ગુનો કબૂલ કર્યો હતો. પોલીસે આરોપી પતિની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. મહિલાના મૃત્યુના કારણે ત્રણ દીકરીઓએ અને એક દીકરાએ માતાની છત્રછાયા ગુમાવી છે. આ ઘટના બની ત્યારે બાળકો બીજા રૂમમાં સુતા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રાત્રે પતિએ કુહાડી વડે પોતાની પત્નીનો જીવ લઈ લીધો, પિતાએ 4 બાળકોને માં વગરના કરી નાખ્યા… જાણો રાત્રે પતિ-પત્ની વચ્ચે એવું તો શું થયું હશે…"

Leave a comment

Your email address will not be published.


*