રાત્રે જમ્યા બાદ ASIએ પોલીસ સ્ટેશનમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું… સમગ્ર ઘટના જાણીને ચોકી ઉઠશો…

Published on: 4:59 pm, Wed, 24 August 22

હાલમાં બનેલી એક જીવ ટૂંકાવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં પોલીસ સ્ટેશનમાં ASIએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવવી લીધું છે. આ ઘટના બનતા જ પોલીસ સ્ટેશનમાં ભારે અફરાતફરી મહોલ જોવા મળ્યો હતો. આ ઘટના બનતા જ અન્ય પોલીસ કર્મીઓ પણ ચોકી ઊઠ્યા હતા.

મળતી માહિતી અનુસાર ASIનું મૃતદેહ આજરોજ ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યું હતું. સવારે જ્યારે સફાઈ કર્મચારીઓ સફાઈ કરવા ગયા, ત્યારે તેમને આ ઘટનાની જાણ થઈ હતી. ત્યારબાદ આ સમગ્ર ઘટના સામે આવી હતી. મળતી માહિતી અનુસાર આ ઘટના છત્તીસગઢમાં બની છે.

હાલમાં સમગ્ર ઘટનાને લઈને કાર્યવાહી કરવામાં આવી રહી છે. મૃત્યુ પામેલા ASIનું નામ શંકરલાલ સિદર હતું અને તેમની ઉંમર 58 વર્ષની હતી. એક નવેમ્બર 2021 થી તેઓ મૈનપુર પોલીસ સ્ટેશનમાં તૈનાત હતા. તેઓ પોલીસ સ્ટેશનની ઉપરની બેરેકમાં અન્ય પોલીસ કર્મીઓ સાથે રહેતા હતા.

ઘટના બની ત્યારે તેમની સાથે રહેતા પોલીસ કર્મીઓ રજા પર ગયા હતા. મળતી માહિતી અનુસાર મંગળવારના રોજ શંકરલાલ પોતાની ડ્યુટી પર હતા. આ દરમિયાન તેમનો સ્વભાવ ખૂબ જ સામાન્ય દેખાતો હતો. તેમની સાથે પોલીસકર્મીઓએ જણાવ્યું કે, તેમની સાથે વાતચીતમાં એવું લાગતું ન હતું કે તેમને કોઈ પ્રકારની સમસ્યા હશે. અચાનક તેમને આ પગલું કેમ ભર્યું તે અમને પણ સમજાતું નથી.

સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો દરરોજની જેમ ASI શંકરલાલ મંગળવારે પણ રાત્રે જમ્યા બાદ પોલીસ સ્ટેશનના ઉપરના બેરેકમાં સુઈ ગયા હતા. બુધવારના રોજ જ્યારે સવારે સફાઈ કર્મચારીઓ સફાઈ કરવા માટે ઉપરના માળે આવેલા બેરેકમાં ગયા ત્યારે તેમને ASI શંકરલાલનું મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળ્યું હતું. આ ઘટનાની જાણ થતા પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા.

મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ઘટના બની આ બાદ આ ઘટનાની જાણ ASI શંકરલાલ ના સંબંધીઓને કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા તેઓ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. શંકરલાલે કયા કારણોસર આ પગલું ભર્યું તેની કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રાત્રે જમ્યા બાદ ASIએ પોલીસ સ્ટેશનમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું… સમગ્ર ઘટના જાણીને ચોકી ઉઠશો…"

Leave a comment

Your email address will not be published.


*