કોરોના નું સંક્રમણ વધતા ગુજરાતના આ શહેરમાં બંધ કરાવાયા પાનના ગલ્લાઓ, જાણો વિગતે

Published on: 5:44 pm, Sat, 3 April 21

કોરોના ના બીજા તબક્કામાં રાજ્યમાં દિવસેને દિવસે રેકોર્ડ બ્રેક કેસ નોંધાઇ રહા છે. એવામાં કોરોના કેસોની અટકાવવા માટે ગુજરાત સરકાર પણ ચિંતામાં છે અને જામનગરમાં પણ કોરોના સંક્રમણ વધતાં તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે.

પાનના ગલ્લા પર ભીડ એકઠી થતા પાનના ગલ્લા બંધ કરાવવામાં આવ્યા છે.રાજ્યમાં કોરોના કેસો હતા તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ધંધા રોજગારનો અસર ન પહોંચે.

તે માટે રાજ્ય સરકાર દ્વારા લોકડાઉન જાહેર ન કરાતા ચાર શહેરોમાં નાઈટ કરફ્યુ સહિતના પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે અને તેવામાં જામનગરમાં પણ સતત કેસો વધી રહ્યા છે.

ત્યારે શહેરમાં કોરોના ની માર્ગદર્શિકાનું કડકપણે પાલન કરાવવામાં આવી રહ્યું છે.જામનગર શહેરમાં મહાનગરપાલિકાના તંત્રને પોલીસે સયુંકત કામગીરી કરીને પાનના ગલ્લાઓ બંધ કરાવ્યા છે.

જામનગરના મોટી બાણુગાર ગામમાં સ્વેચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે અને ગામમાં એક અઠવાડિયામાં 25 કેસ નોંધાતા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આજ રાત્રે આઠ વાગ્યાથી એક સપ્તાહ સુધી ગામમાં લોકડાઉન કરવામાં આવશે.

ગામમાં બે કલાક માટે શાકભાજી અને દૂધની ડેરી ને છૂટછાટ આપવામાં આવશે અને આ ઉપરાંત બીજા અનેક ધંધાઓને બંધ રાખવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કોરોના નું સંક્રમણ વધતા ગુજરાતના આ શહેરમાં બંધ કરાવાયા પાનના ગલ્લાઓ, જાણો વિગતે"

Leave a comment

Your email address will not be published.


*