કોરોના ની બીજી લહેર ઘટી રહી છે ત્યારે આઠ રાજ્યમાં સંકટ વધ્યું, સરકાર દ્વારા જાહેર કરવામાં આવી નવી ગાઇડલાઇન…

Published on: 11:07 am, Thu, 8 July 21

દેશમાં કોરોના ની બીજી લહેર દિવસેને દિવસે વધી રહી છે અને દેશમાં મૃત્યુનો આંકડો અને કોરોના કેસ પણ ઘટી રહ્યા છે ત્યારે આઠ રાજ્યોમાં કોરોનાની દેશની સંખ્યા ને લઈને સરકારની ચિંતા વધી ગઈ છે. આ આઠ રાજ્યોને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી પત્ર લખવામાં આવ્યો છે.

અને કોરોના ને કાબુ કરવા માટે સૂચના આપવામાં આવી છે. આ રાજ્યોમાં રસીકરણ ઝડપી બનાવવું અને સ્વાસ્થ્ય સંબંધિત પાયાગત માળખાની યોજના બનાવવા અને રાજ્યમાં સતત વધતા કોરોના ના કેસ ને રોકવા માટે ગાઈલલાઈન નું પાલન કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે.

સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી આસામ, કેરલ, મેઘાલય, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, મણિપુર, ઓરિસ્સા અને સિક્કિમની રાજ્ય સરકારને પત્રને લઇને અનેક જરૂરી પગલાં ભરવાનું કહ્યું છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે કહ્યું કે કોરોના ની અટકાવવા માટે સામૂહિક પ્રયત્નો જરૂરી છે. ઉપરાંત તેમને કહ્યું કે અરુણાચલ પ્રદેશમાં કોરોનાની મહામારી ચિંતાનો વિષય છે. રાજ્યમાં કોરોના સંક્રમણ નો દર 16.2 ટકા છે.

અને સતત ચાર અઠવાડિયાથી વધી રહ્યો છે. ઉપરાંત તેમને કહ્યું કે રાજ્યમાં 25 જિલ્લામાંથી 19 જિલ્લાઓમાં કોરોના ની સંખ્યા 10 ટકા કરતાં વધારે નોંધાયો છે. ઉપરાંત ચાર અઠવાડિયાથી કોરોનાના કેસમાં 12 ટકા વૃદ્ધિ જોવા મળ્યા છે.

ઉપરાંત મણિપુરમાં 16માંથી બે જિલ્લાઓમાં ચાર અઠવાડિયાથી કોરોના કેસ સતત વધી રહ્યા છે. જૂનના અંતિમ અઠવાડિયામાં તમામ જિલ્લાઓમાં પ્રતિદિન 200થી વધારે કેસ સામે આવ્યા છે.

આ ઉપરાંત 7 જૂનથી 4 જુલાઈ સુધી મોતની સંખ્યામાં વૃદ્ધો જોવા મળે છે. ત્રિશુર અને મલપ્પુરમમાં એક અઠવાડિયામાં કોરોના ના કારણે 70 થી વધારે લોકોના મૃત્યુ થયા છે.

ઉપરાંત મળતી માહિતી મુજબ મેઘાલયમાં અત્યારે પણ કોરોના સંક્રમણ નો દર 14.05 ટકા નોંધાયો છે. મેઘાલયમાં પણ 11 માંથી 8 જિલ્લાઓમાં કોરોના સંક્રમણ નો દર 10 ટકાથી વધારે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.

Be the first to comment on "કોરોના ની બીજી લહેર ઘટી રહી છે ત્યારે આઠ રાજ્યમાં સંકટ વધ્યું, સરકાર દ્વારા જાહેર કરવામાં આવી નવી ગાઇડલાઇન…"

Leave a comment

Your email address will not be published.


*