કોરોના કેસની સંખ્યામાં વધારો થતાં સુરતમાં આ વસ્તુ બંધ રાખવાના કરાયા આદેશ, જાણો.

Published on: 9:41 am, Sat, 13 March 21

સમગ્ર રાજ્ય સહિત સુરત શહેરમાં કોરોના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે કોર્પોરેશન દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરતમાં સતત કોરોના ના કેસ વધી રહ્યા છે ત્યારે કોર્પોરેશન દ્વારા શનિવાર અને રવિવાર દિવસે શહેરમાં મોલ બંધ રાખવાના આદેશ કરવામાં આવ્યા છે.

સુરતના ડુમસ રોડ પર આવેલા રાહુલ રાજ મોલ પણ બંધ રહેશે જે સુરતવાસીઓ એ ખાસ નોંધ લેવી. સુરત શહેરમાં દૈનિક સૌથી વધુ કેસ નોંધાતા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.સમગ્ર ગુજરાત રાજ્યમાં કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.

તો આ તરફ સુરતમાં કોરોના કેસો વધતા મહાનગરપાલિકા સક્રિય થયુ છે. ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં 17થી વધારે પોઝિટિવ કેસો મળતા ત્રણ ટેક્સટાઈલ માર્કેટમાંથી કેસો મળતા તે બંધ કરવામાં આવી છે.

જેમાં સાઈ ખ્યાતિ માર્કેટ, ગંગા ફેશન માર્કેટ અને આદર્શ માર્કેટ મહાનગરપાલિકાએ બંધ કરાવી છે અને કોરોના નું સંક્રમણ અટકાવવા સધન ટેસ્ટિંગ પણ શરૂ કરવામાં આવ્યું છે.

સમગ્ર ભારત સહિત ગુજરાતમાં કોરાણા કેસોમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. સુરત શહેરમાં સતત કેસો વધતા સુરત મહાનગર પાલિકા દ્વારા શહેરમાં રવિવાર અને શનિવારે ના રોજ મોલ બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે.

કારણ કે આ વિકેન્દ્ માં લોકો વધારે બહાર ખરીદી કરવા અથવા તો ફરવા માટે નીકળતા હોય છે ક્યારે વ્યવસ્થાના ભાગરૂપે અને કોરો નાનું સંક્રમણના ફેલાય તે માટે સુરત મહાનગરપાલિકા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કોરોના કેસની સંખ્યામાં વધારો થતાં સુરતમાં આ વસ્તુ બંધ રાખવાના કરાયા આદેશ, જાણો."

Leave a comment

Your email address will not be published.


*