અરવિંદ કેજરીવાલ ગુજરાત આવતાની સાથે જ બેરોજગાર યુવાનોને લઈને કરી મોટી જાહેરાત, દર મહિને આટલા રૂપિયા…

Published on: 4:58 pm, Mon, 1 August 22

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આજરોજ ગુજરાત રાજ્યની મુલાકાતે આવ્યા છે અને આજરોજ અરવિંદ કેજરીવાલ એ ગુજરાતના બેરોજગાર યુવાનોને જ્યાં સુધી નોકરી નહીં મળે ત્યાં સુધી દર મહિને 3000 રૂપિયા આપવાનું મોટું વચન આપ્યું છે.આપને જણાવી દઈએ કે અરવિંદ કેજરીવાલ છેલ્લા થોડાક સમયમાં

ગુજરાતની ઘણી વખત મુલાકાતે આવ્યા છે અને દર વખતે અલગ અલગ ગુજરાતીઓને પોતાની સરકાર આવ્યા બાદના વચનો આપ્યા છે અને પંજાબમાં તેઓએ જે કાંઈ વચનો આપ્યા હતા તે પૂરા કરી રહ્યા છે ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનાવવા માટે તેઓ ગુજરાતની જનતાને અલગ અલગ વચન આપી રહ્યા છે તે વચનો પૈકી ફ્રી

વીજળી અને ત્યારબાદ યુવાનોને રોજગારી ના મળે ત્યાં સુધી 3000 રૂપિયા આપવાનું વચન આપ્યું છે.દિલ્હીમાં પાંચ વર્ષમાં 12 લાખ લોકોને રોજગારી આપવામાં આવી છે અને બીજા પાંચ વર્ષમાં 20 લાખ લોકોને નોકરી આપવાની ટાર્ગેટ છે. પાંચ વર્ષમાં દરેક બેરોજગારને રોજગાર મળશે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવી છે.

જ્યાં સુધી રોજગાર નહીં મળે ત્યાં સુધી દર મહિને બેરોજગાર વ્યક્તિઓને 3000 રૂપિયા નો ભથ્થું આપવામાં આવશે. દસ લાખ સરકારી નોકરી આપવામાં આવશે અને પેપર લીક ના થાય તે માટે આમ આદમી પાર્ટી નવો કાયદો બનાવશે. પેપર ના ફૂટે તે માટે ડોશી તો ને કડક સજા મળે તેવી જોગવાઈ કરવામાં આવશે અને સહકારી સંસ્થાઓમાં પૈસાથી મળતી નોકરી બંધ કરવામાં આવશે અને જે લાયક હશે તેને નોકરી આપવામાં આવશે

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "અરવિંદ કેજરીવાલ ગુજરાત આવતાની સાથે જ બેરોજગાર યુવાનોને લઈને કરી મોટી જાહેરાત, દર મહિને આટલા રૂપિયા…"

Leave a comment

Your email address will not be published.


*