કોરોના ના કેસો વધતા રાજ્ય ની રૂપાણી સરકારે તાબડતોબ લીધો મોટો નિર્ણય, આ અધિકારીઓને કર્યા દોડતા.

Published on: 9:48 am, Thu, 18 March 21

કોરોનાવાયરસ ના વધતા જતા કેસોને લઈને ગાંધીનગર થી એકાએક સચિવની નિમણૂક કરાઇ છે અને મહાનગરપાલિકાના ક્ષેત્રમાં પાંચ વરિષ્ઠ સચિવની જવાબદારી સોંપાય છે. રાજ્યમાં કોરોનાવાયરસ ના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે વેક્સિનેશન સેન્ટર રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લું રહેશે.

તેવી જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી હતી. અમદાવાદ ની જવાબદારી રાજીવ ગુપ્તાને સોંપવામાં આવી છે.વિનોદ રાવ ને અને મિલિન્દ તોરવણે જવાબદારી વડોદરાની સોંપવામાં આવી છે.

આ સાથે રાહુલ ગુપ્તા અને રાજકોટની જવાબદારી સોંપવામાં આવી છે અને સુરત ની જવાબદારી એન.થેનારસનને સોંપવામાં આવી છે અને જે સજીવોને કામગીરી આપવામાં આવી તેમના દ્વારા સ્થાનિક તંત્ર ને માર્ગદર્શન અપાશે.

અમદાવાદમાં કોરોના કેસો વધતા અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા રિવરફ્રન્ટ વોક બે પણ નાગરિકો માટે બંધ રાખવામાં આવ્યો છે.દેશનાં તમામ રાજયોના મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના સંક્રમણ ને લઈને.

ચિંતા વ્યક્ત કરી હતી અને રસીકરણ અભિયાન પર વધુ જોર આપવા અપીલ કરી હતી. અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા શહેરમાં તાબડતોબ સૌથી મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલી વિગતો અનુસાર છેલ્લા 24 કલાકમાં 1122 નવા દર્દી જ્યારે 775 દર્દીઓ સાજા થયા છે અને આજે રાજ્યમાં કોરોના કારણે 3 દર્દીઓના સારવાર દરમિયાન મોત થયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કોરોના ના કેસો વધતા રાજ્ય ની રૂપાણી સરકારે તાબડતોબ લીધો મોટો નિર્ણય, આ અધિકારીઓને કર્યા દોડતા."

Leave a comment

Your email address will not be published.


*