આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો મુખ્યમંત્રી કોણ હશે તેને લઈને અરવિંદ કેજરીવાલનું મહત્વનું નિવેદન, ભ્રષ્ટાચાર બાબતે કહ્યું એવું કે…

Published on: 11:40 am, Wed, 14 September 22

ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં ખૂબ જ વધારે આવી રહ્યા છે ત્યારે ગુજરાત પ્રવાસે આવેલા અરવિંદ કેજરી વાલે અમદાવાદમાં ગુજરાતની જનતાને દિલ્હીની જેમ ભ્રષ્ટાચાર મુક્ત કરવાની ગેરંટી આપી હતી સાથે તેમને કહ્યું હતું કે જો ગુજરાતમાં અમારી સરકાર બનશે તો મુખ્યમંત્રી કોણ બનશે તે જનતા નક્કી કરશે.

અરવિંદ કેજરી વાલે કહ્યું કે હું ઘણા સમયથી ગુજરાતના લોકોને મળી રહ્યો છું અને લોકો વ્યથા ખાલવી રહ્યા છે કે ગુજરાતમાં કોઈ પણ કામ પૈસા આપ્યા વગર થતું નથી જો સામે બોલે તો ધંધા બંધ કરાવી દે છે. કેજરીવાલ એ કહ્યું કે હું ગુજરાતની જનતાને ગેરંટી આપું છું કે આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો ભ્રષ્ટાચાર મુક્ત અને ભયમુક્ત શાસન આપીશું.

કેજરીવાલ એ ભાજપ સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે ગુજરાતમાં જેટલા નેતાઓએ કાળા ધંધાઓ કર્યા છે અથવા તો પેપર ફૂટવાના કૌભાંડો છે બંધ કરાવી દેશો અને માસ્ટર માઈન્ડને જેલમાં મોકલીશું જેટલી પણ યોજનાઓમાં કૌભાંડ થયા છે તેના રૂપિયા રિકવર કરીશું કારણકે તે જનતાના પૈસા છે.અરવિંદ કેજરીવાલ ટ્વિટ કરીને કહ્યું હતું કે પોલીસને મારું નિવેદન છે કે તમારા ગ્રેડ-પે અને અન્ય બધા મુદ્દાઓ પર મેં તમારો સાથ આપ્યો છે. સરકારના બન્યા પછી અમે

ચોક્કસ લાગુ કરીશું અને અમે તમારી સાથે છીએ માત્ર બે મહિના બચ્યા છે ભાજપ વાળા તમને ખોટું કામ કરવા કહે તો ઇન્કાર કરી દેજો કારણકે ભાજપ જા રહી હે અને આમ આદમી પાર્ટી આ રહી હૈ. કેજરીવાલ એ કહ્યું કે ગુજરાતના 6 કરોડ લોકો નક્કી કરશે નહીં સરકાર દિલ્હીથી ચાલે છે ને ગુજરાતમાં 6 કરોડ જનતા કહે એમ અમે કરીશું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો મુખ્યમંત્રી કોણ હશે તેને લઈને અરવિંદ કેજરીવાલનું મહત્વનું નિવેદન, ભ્રષ્ટાચાર બાબતે કહ્યું એવું કે…"

Leave a comment

Your email address will not be published.


*