અરવિંદ કેજરીવાલ તથા મનીષ સિસોદિયા 23 ઓગસ્ટના રોજ ભાવનગરમાં યુવાનો સાથે રોજગાર અને શિક્ષા સંવાદ કરશે : મનોજ સોરઠીયા

Published on: 1:16 pm, Sun, 21 August 22

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા એ એક મહત્વપૂર્ણ જાણકારી આપતા જણાવ્યું કે અમને જણાવતા આનંદ થાય છે કે આવતીકાલે 22 ઓગસ્ટ ના રોજ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તથા દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાજી બે દિવસ ગુજરાત રાજ્યના

પ્રવાસ મુલાકાતે આવી રહ્યા છે અને આપને જણાવી દઈએ કે આવતીકાલે 22 ઓગસ્ટના રોજ સવારે અમદાવાદ એરપોર્ટ પર તેમનું આગમન થશે અને આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.અમદાવાદમાં અરવિંદ કેજરીવાલ તથા દિલ્હીના મુખ્યમંત્રી મનીષ સિસોદિયાજી એક પ્રેસ કોન્ફરન્સમાં ભાગ

લેશે ત્યારબાદ તેઓ હિંમતનગર જવા રવાના થશે અને હિંમતનગરમાં એક ટાઉનહોલ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે અને અરવિંદ કેજરીવાલ ગુજરાતની જનતા માટે અગત્યની ઘોષણા કરશે તેવી પણ શક્યતાઓ છે અને ત્યારબાદ અરવિંદ કેજરીવાલ તથા મનીષ સિસોદિયા 23 ઓગસ્ટના રોજ ભાવનગરમાં યુવાનો સાથે રોજગાર અને શિક્ષા પર સંવાદ કરશે તેવું જાણવા મળ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "અરવિંદ કેજરીવાલ તથા મનીષ સિસોદિયા 23 ઓગસ્ટના રોજ ભાવનગરમાં યુવાનો સાથે રોજગાર અને શિક્ષા સંવાદ કરશે : મનોજ સોરઠીયા"

Leave a comment

Your email address will not be published.


*