અરવિંદ કેજરીવાલે કોરોના માં શહીદ થયેલા આર્મી અને પોલીસ જવાનના પરિવાર માટે લીધા મહત્વના નિર્ણય, જાહેર કરી આટલા કરોડની સહાય.

Published on: 9:26 pm, Sat, 19 June 21

દેશમાં કોરોનાની મહામારી વચ્ચે ફરજ બજાવતા કેટલાક જવાનો એ પોતાનો જીવ ગુમાવ્યો છે. એવામાં દિલ્હી સરકાર દ્વારા આ જવાનું માટે એક મહત્વનું કાર્ય કરવામાં આવ્યું. અરવિંદ કેજરીવાલે કોરોના ના કાળમાં ફરજ બજાવતી વખતે છ અધિકારીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

તે અધિકારીના પરિવારોને દિલ્હી સરકાર તરફથી 1-1 કરોડની સહાય આપવાની જાહેરાત કરી. દિલ્હી સરકાર પોલીસ અને સૈનિક માટે એક કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી.

આ ઉપરાંત છ પરિવારોને આર્થિક મદદ કરવામાં આવશે. તેમાંથી એરફોર્સ ઓફિસર, બે દિલ્હી પોલીસ અને એક સિવિલ ડિફેન્સના જવાનના પરિવારને આર્થિક સહાય આપવામાં આવશે.

આ યોજનાની જાહેરાત અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી બન્યા બાદ સૌપ્રથમ કરી હતી 2013માં યોજનાની જાહેરાત કરી હતી. અહેવાલ મુજબ જાણવા મળ્યું કે દારૂના માફિયાઓએ એક પોલીસકર્મી ની હત્યા કરી હતી

ત્યારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તરફથી જીવ ગુમાવનાર પોલીસકર્મીના પરિવારને 1 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી.

ત્યારબાદ આ યોજના આર્મી અને દિલ્હી પોલીસ પર લાગુ થઈ અને શહીદ થયેલા જવાનના પરિવારને આર્થિક સહાય આપવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "અરવિંદ કેજરીવાલે કોરોના માં શહીદ થયેલા આર્મી અને પોલીસ જવાનના પરિવાર માટે લીધા મહત્વના નિર્ણય, જાહેર કરી આટલા કરોડની સહાય."

Leave a comment

Your email address will not be published.


*