હવામાન વિભાગની વરસાદને લઈને વધુ એક આગાહી : આજથી 5 દિવસ ગુજરાતના ખેડૂતો માટે વરસાદી સંકટ, રાજ્યના આ વિસ્તારોમાં 50…

Rain News Gujarat: ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર પલટો આવી શકે છે, હવામાન વિભાગ(Meteorological Department)ની આગાહી મુજબ રાજ્યમાં છ થી નવ જૂન ચક્રવાત આવવાની સંભાવના છે. જેને લઇ આજથી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. મહત્વનું છે કે આગાહી(prediction) મુજબ રાજ્યમાં 50 કિ.મી ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ તરફ ગુજરાતમાં ચોમાસાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની(Ambalal Patel) આગાહી પણ સામે આવી છે.

ગુજરાતમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વેસ્ટર્ન ડીસ્ટર્બન્સના કારણે વરસાદ થઈ રહ્યો છે. આ તરફ હવે હવામાન વિભાગે આજથી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં વધુ એક સાયકલોનીક સિસ્ટમ સક્રિય થતા 50 કી.મી ની ઝડપે રાજ્યમાં પવન ફૂંકાઈ શકે છે. જેને લઈને બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, વલસાડમાં વરસાદની આગાહી છે, આ સાથે નવસારી, દમણ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી વચ્ચે હવે ગુજરાતમાં ચોમાસાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ ની આગાહી સામે આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં 25 મેથી રોહિણી નક્ષત્ર ચાલે છે, આઠ જૂન સુધી રોહિણી નક્ષત્ર રહેશે. આઠ જુને મૃગશીર્ષ નક્ષત્ર બેસી જશે, રોહિણી નક્ષત્રના ચાર પાયા છે. પહેલા ભાગમાં વરસાદ થાય તો 72 દિવસના વાયરા ફુકાય છે,

બીજા ભાગમાં વરસાદ થાય તો એટલા વાયરાના દિવસના ઓછા ગણાય. એટલે પહેલા અને બીજા પાયામાં વરસાદ થયો છે, તેમજ રોહિણી ઉતરતા પણ વરસાદ થવાની શક્યતા છે. તેમણે જણાવ્યું કે ગુજરાતમાં કેટલાક ભાગોમાં ચાર જૂન સુધી વરસાદની આગાહી છે, 3 જૂનથી સાત જૂન અરબ સાગરમાં હવાનું હળવું દબાણ ઊભું થવાની સંભાવના પણ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

અંબાલાલ પટેલે જણાવ્યું કે 8 થી 10 જૂન વચ્ચે કેરળમાં ભારે પવન ફૂંકાશે. કેરળના દરિયા કિનારે ૨૦૦ કિ.મી ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, બંગાળના ઉપસાગર પર પણ ચક્રવાત સર્જાવાની શક્યતા છે. ચક્રવાત ના કારણે ગુજરાતમાં વરસાદ આવશે, આ દરમિયાન દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ થઈ શકે છે.

અંબાલાલ પટેલે જણાવ્યું કે વાવાઝોડાના કારણે ચોમાસામાં વિલંબ થઈ શકે છે, વાવાઝોડા ના લીધે ભેજ ખેચાતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે નહીં. કેરળના દરિયા કિનારે ચોમાસું થોડું મોડુ પહોંચી શકે છે, ગુજરાતમાં ચોમાસાનો વરસાદ 15 જૂન આસપાસ થશે તેવું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*