વડોદરામાં વધુ એક દીકરીનો જીવ લઈ લેવામાં આવ્યો : બે દિવસ પહેલા ગુમ થયેલી દીકરીનું મૃતદેહ એક ખેતરમાંથી જીવ લીધેલી હાલતમાં મળી આવ્યું… જાણો સમગ્ર ઘટના

Published on: 5:59 pm, Mon, 18 April 22

હાલમાં બનેલી એક રુવાટા ઉભા કરી દેનારી ઘટના સામે આવી છે. વડોદરામાં દીકરી તૃષા સોલંકીની જેમ હવે વડોદરામાં દીકરી મીરા સોલંકીનું મૃતદેહ તિલકવાડામાં જીવ લીધેલી હાલતમાં મળી આવ્યું છે. મળતી માહિતી અનુસાર વડોદરાના માંજલપુર દરબાર ચોકડી પાસે રહેતી 20 વર્ષીય મીરા સોલંકી નામની યુવતીનું તિલકવાડા પોલીસ સ્ટેશનની હદમાં એક ખેતરમાંથી મૃતદેહ મળી આવ્યું છે.

આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. મળતી માહિતી મુજબ મીરા એ તેની પિતરાઇ બહેનને વોટ્સએપ પર મેસેજ કરીને જણાવ્યું હતું કે, હું સંદિપ સાથે છું. ચિંતા કરશો નહીં. હું રવિવારે સાંજ સુધીમાં ઘરે આવી જઈશ. ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આવી હતી.

દીકરી મીરા સોલંકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે. હાલમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે મીરા સોલંકીનો પ્રેમ પ્રકરણમાં જીવ લઈ લેવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર દરબાર ચોકડી પાસે બળીયાદેવ મંદિર સામે આવેલા ખેતરમાં માતા-પિતા સાથે રહેતી મીરા સોલંકી બે દિવસ પહેલા ઘરેથી નીકળી ગઈ હતી.

મીરા મોડી રાત્રે પણ ઘરે પરત ન ફરી તેથી મીરાના પિતા નિલેશભાઈ સોલંકી માંજલપુર પોલીસ સ્ટેશનમાં મીરાના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. ત્યારે આજરોજ તિલકવાડા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ખેતરમાંથી મીરાનું મૃતદેહ મળી આવ્યું છે. મળતી માહિતી અનુસાર સમગ્ર ઘટનાને લઇને તિલકવાડા પોલીસે અજાણ્યા આરોપી સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે, મીરા સોલંકીનો જીવ ગળું દબાવી અને ડામ આપીને લેવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મીરાનું મૃત્યુ કેવી રીતે થયું તેનું ચોક્કસ કારણ બહાર આવશે. ખેડૂત ની દીકરી મીરા સોલંકીનું મૃત્યુ થતાં જ સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઇ હતી.

મીરા સોલંકી પરિવારની એકની એક દીકરી હતી. તેણે તાજેતરમાં જ ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા આપી હતી. મળતી માહિતી અનુસાર મીરા સોલંકી જુનાપાદર રોડ ઉપર રહેતા સંદીપ મકવાણા નામના યુવાન સાથે ગઈ હતી તેવું પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે આરોપીની શોધખોળ કરવાનું શરૂ કરી દીધું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "વડોદરામાં વધુ એક દીકરીનો જીવ લઈ લેવામાં આવ્યો : બે દિવસ પહેલા ગુમ થયેલી દીકરીનું મૃતદેહ એક ખેતરમાંથી જીવ લીધેલી હાલતમાં મળી આવ્યું… જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*