વધુ એક દીકરી એક તરફી પ્રેમનો ભોગ બની…! નરાધમ યુવકે માત્ર 17 વર્ષની દીકરીને પેટ્રોલથી સળગાવી દીધી… મિત્રો તમે જ કહો આવા નરાધમ સાથે શું કરવું જોઈએ….

Published on: 1:09 pm, Mon, 29 August 22

મિત્રો થોડાક દિવસો પહેલા બનેલી એક એવી ઘટના વિશે વાત કરવાના છીએ જે સાંભળીને તમારા પણ રુવાટા ઉભા થઈ જશે. મળતી માહિતી અનુસાર ઝારખંડના દુમકાના જરુવાડીહ વિસ્તારમાં 23 ઓગસ્ટના રોજ અંકિતા નામની યુવતી પોતાના ઘરમાં સુતી હતી. ત્યારે લગભગ પાંચ વાગ્યાની આસપાસ એક તરફી પ્રેમમાં પાડોશી શાહરૂખ હુસૈને નામનો વ્યક્તિ બારીમાંથી પેટ્રોલ નાખીને અંકિતાને જીવતી સળગાવી દે છે.

આ ઘટનામાં અંકિતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. ત્યારબાદ પરિવારના લોકો સારવાર માટે તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાં હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેને બીજી હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી. અહીં રવિવારના રોજ સવારે અંકિતાનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઈ ગયો હતો. સોમવારના રોજ સવારે 17 વર્ષની અંકિતાની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી.

અંતિમ યાત્રા ભારે સુરક્ષા હેઠળ કાઢવામાં આવી હતી. જ્યારે લોકોએ અંકિતાના મૃત્યુના સમાચાર સાંભળ્યા ત્યારે લોકો ખૂબ જ ગુસ્સામાં ભરાયા હતા અને જિલ્લા પ્રશાસનના વિરુદ્ધમાં સૂત્રોચાર કર્યા હતા. વિરુદ્ધમાં રોડ ઉપર ઉતરેલા લોકોએ રોડ બ્લોક કરી દીધા હતા. વિરોધ પ્રદર્શનમાં વીએચપી, બજરંગ દળ ભાજપ ઉપરાંત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. આ લોકોએ બજાર બંધ કરાવી હતી.

શહેરમાં ખૂબ જ તંગી પરિસ્થિતિ જોતા જ વહીવટી તંત્ર એ આ વિસ્તારમાં 144 ની કલમ લાગુ કરી દીધી હતી. આરોપી શાહરૂખ ને ફાંસીની સજા થાય તેવી માંગ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર અંકિતાની હોસ્પિટલમાં પાંચ દિવસ ચાલી હતી ત્યારબાદ તેને પોતાના જીવનના અંતિમ શ્વાસ લીધા હતા.

સોમવારના રોજ સવારે જ્યારે અંકિતાની અંતિમયાત્રા કાઢવામાં આવી ત્યારે મોટી સંખ્યામાં લોકો તેમાં જોડાયા હતા. કોઈપણ પ્રકારનું હોબાળો ન થાય તે માટે મોટી સંખ્યામાં મહિલા પોલીસ અને પોલીસ જવાનોને તહેનાત કરવામાં આવ્યા હતા. આ ઘટનાના વિરોધમાં વિવિધ સામાજિક સંસ્થાઓએ દ્વારા દુમકાનું એલાન આપવામાં આવ્યું છે.

મળતી માહિતી અનુસાર મૃત્યુના થોડાક કલાકો પહેલા અંકિતા એ વાત કરી હતી કે, 23 ઓગસ્ટના રોજ સવારે 5:00 વાગ્યાની આસપાસ ઘટના બની હતી. હું મારી રૂમમાં સૂતી હતી. ત્યારે અચાનક રૂમની બારી નજીક આગ લાગી હતી. જેના કારણે હું ખૂબ જ ડરી ગઈ. ત્યારબાદ મેં બારી ખોલીને જોયું ત્યારે શેરીમાં રહેતો શાહરૂખ હાથમાં પેટ્રોલ નું કેન લઈને મારી તરફ દોડી રહ્યો હતો.

ત્યાં સુધીમાં તો મારું શરીર આગની જપેટમાં આવી ગયું હતું અને હું ગંભીર રીતે દાજી ગઈ હતી. અંકિતાએ જણાવ્યું કે, શાહરૂખ છેલ્લા 15 દિવસથી મને પરેશાન કરતો હતો. આ વિસ્તારોમાં દરેક લોકો તેને બદમાશ છોકરા તરીકે જાણતા હતા. તેનું કામ માત્રને માત્ર છોકરીઓને હેરાન કરવાનું હતું. અંકિતાએ વધુમાં જણાવ્યું કે સારું કે તેને ધમકી આપી હતી કે જો હું તેની વાત નહીં માનું તો તે મને અને મારા પરિવારને પતાવી નાખશે. તેને ઘટનાના આગલા દિવસે પણ મને ધમકી આપી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "વધુ એક દીકરી એક તરફી પ્રેમનો ભોગ બની…! નરાધમ યુવકે માત્ર 17 વર્ષની દીકરીને પેટ્રોલથી સળગાવી દીધી… મિત્રો તમે જ કહો આવા નરાધમ સાથે શું કરવું જોઈએ…."

Leave a comment

Your email address will not be published.


*