વધુ એક બૉયલર ફાટવાની ઘટના : બૉયલર ફાટતા 10 લોકોના કરૂણ મૃત્યુ, બૉયલર ફાટવાની અસર 4 કિલોમીટર સુધી દેખાઈ…

Published on: 12:17 pm, Sun, 26 December 21

બિહારમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર આ ઘટના બિહાર મુઝફ્ફરપુરમાં બની હતી. આ ઘટનામાં 10 લોકોના કરૂણ મૃત્યુ થયા છે. મળતી માહિતી અનુસાર કુરકુરે અને નૂડલ્સ ફેક્ટરીમાં બોઈલર ફાટતા 10 થી પણ વધારે લોકોના કરૂણ મૃત્યુ થયા છે.

ઉપરાંત ફેક્ટરીની અંદર કામ કરતા અન્ય લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટના બનતા જ ફેક્ટરીના નજીકના વિસ્તારો હચમચી ગયા હતા. મળતી માહિતી અનુસાર હજુ એવી આશંકાઓ છે કે મૃત્યુનો આંક વધી શકે છે.

આ ઘટનાને કારણે આસપાસની ધરતી ધ્રૂજી ઊઠી હતી. અહીં રહેતા લોકોએ ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો. આ ઘટના બનતા જ આસપાસના વિસ્તારમાં રહેતા લોકો ઘરની બહાર નીકળી આવ્યા હતા. ત્યારબાદ તેમને જાણ થઈ કે ફાટવાના કારણે આ ઘટના બની હતી.

આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. ઉપરાંત પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. થોડાક દિવસ પહેલા આવી જ એક ઘટના ગુજરાતના વડોદરામાં બની હતી.

મળતી માહિતી અનુસાર અહીં એક ફેક્ટરીમાં બૉયલર ફાટવાના કારણે ચાર લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. ત્યારે આજરોજ વહેલી સવારે બિહારમાં આ ઘટના બની હતી આ ઘટનામાં 10 થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "વધુ એક બૉયલર ફાટવાની ઘટના : બૉયલર ફાટતા 10 લોકોના કરૂણ મૃત્યુ, બૉયલર ફાટવાની અસર 4 કિલોમીટર સુધી દેખાઈ…"

Leave a comment

Your email address will not be published.


*