ખેડૂત આંદોલનને લઈને ખેડૂત નેતા રાકેશ ટીકૈત નું વધુ એક મોટું એલાન

Published on: 3:52 pm, Mon, 29 November 21

ભારતીય કિસાનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટીકૈતે રવિવારે માંગ કરી હતી કે કેન્દ્ર દેશમાં ખેડૂતોના હિતોનું રક્ષણ કરવા માટે પાક ના લઘુતમ ટેકાના ભાવે ખાતરી આપવા માટે કાયદો લાવે.સંયુક્ત શેતકરી કામદાર મોરચા ના બેનર હેઠળ આઝાદ મેદાનમાં આયોજિત કિસાન

મહાપંચાયત માં ભાગ લેવા મુંબઈ પહોંચેલા ટીકૈતે કહ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે MSP ના સમર્થક હતા.ખેડૂતોના હિતોની ખાતરી કરવા માટે તેઓ દેશવ્યાપી કાયદો ઈચ્છતા હતા. તેમને મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર પર આ મુદ્દો ચર્ચાથી ભાગવાનો આરોપ લગાવ્યો.

તેમને કહ્યું કે કેન્દ્રએ ખેડૂતોને MSP ની ખાતરી આપવા માટે કાયદો લાવવો જોઈએ અને કૃષિ અને શ્રમ ક્ષેત્રને લગતા ઘણા મુદ્દાઓ છે જેના પર ધ્યાન આપવાની જરૂર છે અને અમે તેમને પ્રકાશિત કરવા માટે દેશભરમાં પ્રવાસ કરીશું.તેમની એવી માંગ કરી હતી કે

કેન્દ્રના 3 કૃષી માર્કેટિંગ કાયદાઓ સામે વર્ષભરના વિરોધમાં જીવ ગુમાવનાર ખેડૂતોના પરિવારને આર્થિક સહાય આપવામાં આવે. આ મહિનાની શરૂઆતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખેડૂતોના વિરોધમાં કેન્દ્રમાં રહેલા ત્રણ કાયદાઓ પાછા ખેંચવાના સરકારના નિર્ણયની જાહેરાત કરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ખેડૂત આંદોલનને લઈને ખેડૂત નેતા રાકેશ ટીકૈત નું વધુ એક મોટું એલાન"

Leave a comment

Your email address will not be published.


*