દવાખાનેથી પરત ફરી રહેલા બાઈક પર સવાર 3 લોકોને એક અજાણ્યા વાહનચાલકે લગાવી, અકસ્માતમાં માતા-પુત્ર અને ભત્રીજાનું મૃત્યુ…

Published on: 10:16 am, Wed, 12 January 22

ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ત્યારે કપરાડાના નાનાપોઢા નાસિક માર્ગ ઉપર સોમવારના રોજ મોડી રાત્રે એક અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતમાં એક અજાણ્યા વાહન ચાલકે એક બાઈકને અડફેટેમાં લીધી હતી.

તેમાં માતા-પુત્ર અને ભત્રીજાની ઘટના સ્થળ પર જ મૃત્યુ થયું હતું. બધી માહિતી અનુસાર જ્યારે માતા પુત્ર અને ભત્રીજો દવાખાનેથી પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની બાળકને એક અજાણ્યા વાહન ચાલકે ટક્કર લગાવી હતી.

મળતી માહિતી અનુસાર નાસિક હાઈવે માર્ગ ઉપર કપરાડાના દિનબારી ફળિયામાં રહેતા 20 વર્ષીય રાહુલ મોતીરામને તાવ આવતા માતા સાયકીબેન અને 21 વર્ષીય ભત્રીજો રતન બાઈક ઉપર દાબખલ દવાખાને દવા લેવા માટે ગયા હતા.

જ્યારે તેઓ રાત્રીના સમયે દવાખાનેથી દવા લઈને પરત ફરી રહ્યા હતા. જ્યારે એક અજાણ્યા વાહન ચાલકે તેમની બાઇકને જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ ઘટના બનતા બાઈક પર સવાર માતા-પુત્ર અને ભત્રીજો રોડ પર નીચે પડ્યા હતા.

તેના કારણે તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને તેઓનું આ ઘટનામાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આ ઘટના બનતા જ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત થઇ ગયા હતા.

તે લોકોએ આ ઘટનાની જાણ થતા તાત્કાલીક પોલીસને કરી હતી ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઇને તપાસ કર્યા બાદ અજાણ્યા વાહનચાલક વિરૂદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "દવાખાનેથી પરત ફરી રહેલા બાઈક પર સવાર 3 લોકોને એક અજાણ્યા વાહનચાલકે લગાવી, અકસ્માતમાં માતા-પુત્ર અને ભત્રીજાનું મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*