એક બેકાબૂ કારે બે બાઇકસવારને લગાવી જબરદસ્ત ટક્કર લગાવતા સર્જાયો અકસ્માત – બંનેના મૃત્યુ…

Published on: 10:08 am, Wed, 22 December 21

આજકાલ અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. અત્યાર સુધીમાં ઘણી વખત આ અકસ્માતમાં ઘણા નિર્દોષ લોકોએ એક જણાની બેદરકારીના કારણે પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે તલોદના બદામકંપા પાસે મંગળવારના રોજ સવારે બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી છે.

મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટના દસ વાગ્યાની આસપાસ બની હતી. એક કારચાલકે GJ 09 DC 6843 નંબરની બાઈક પર સવાર જઇ રહેલા બે વ્યક્તિને જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ અકસ્માતમાં બાઇક પર સવાર બંને વ્યક્તિઓના મૃત્યુ થયા હતા.

ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. બાઈક પર સવાર બંને વ્યક્તિઓ વાવ ગામના રહેવાસી હતા તેવું જાણવા મળ્યું છે. મળતી માહિતી અનુસાર બાઇકચાલક મહેન્દ્રસિંહ રંગસિંહ રાઠોડ અને મહેન્દ્રસિંહ અગરસિંહ મકવાણા વાવ ગામથી તાલોદમાં ચૂંટણી પરિણામ માટે આવ્યા હતા.

તે દરમિયાન બદામકંપાની પાસે એક કારચાલકે તેમની બાઇકને જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ અકસ્માતમાં બંનેના ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયા હતા. ઘટના બનતા જ ઘટના મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા.

તેઓએ તાત્કાલિક આ સમગ્ર ઘટનાની જાણ 108 ની ટીમને કરી હતી. ત્યારબાદ બન્નેને તલોદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા પરંતુ ત્યાં હાજર તબીબોએ બંનેને મૃત જાહેર કર્યા હતા.

આ સમગ્ર ઘટનાને લઇને પોપટસિંહ રંગુસિંહ રાઠોડે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. બંનેના મૃત્યુના કારણે પરિવારજનોમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "એક બેકાબૂ કારે બે બાઇકસવારને લગાવી જબરદસ્ત ટક્કર લગાવતા સર્જાયો અકસ્માત – બંનેના મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*