સાગર રબારી કહ્યું કે, ભાજપનું અભિન્ન અંગ ભારતીય કિસાન સંઘ આંદોલનના નામે ખેડૂતોને છેતરવાનું કામ કરે છે…

Published on: 7:29 pm, Wed, 6 July 22

આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ ઉપાધ્યક્ષ સાગર રબારીએ એક મહત્વના મુદ્દા પર પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં સાગર રબારીએ કહ્યું હતું કે, ગુજરાત રાજ્યના ખેડૂતો હંમેશા સરકારની ખોટી નીતિઓના કારણે પાયમાલ બનતા ગયા છે. કોઈપણ સરકારે ક્યારેય પણ ખેડૂતોના મુદ્દા પર સરખું ધ્યાન આપ્યું નથી. જેના કારણે આજે ગુજરાતના ખેડૂતો વિકટ પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા છે.

સાગર રબારીએ કહ્યું કે, ગુજરાતના ખેડૂતોની સિંચાઈ માટે પૂરું પાણી પણ નથી મળતું અને પૂરતા પ્રમાણમાં વીજળી પણ મળતી નથી. આજે સબસીડાઇઝ યુરિયા ખાતરના વેચાણમાં પણ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. સાગર રબારી એ કહ્યું કે, આવી કેટલી વાતોથી આજે ગુજરાતના ખેડૂતો પરેશાન થઈ ગયા છે.

વધુમાં સાગર રબારીએ જણાવ્યું કે, ખેડૂતોના મુદ્દા પર ઘણા બધા સંગઠનો અવાજ ઉઠાવે છે. પરંતુ ઘણા સંગઠનો હોય રાજનીતિને મહત્વ આપીને ખેડૂતોના મુદ્દાને દબાવવાનો પ્રયત્ન કર્યો છે. રાજ્યના ગરીબ ખેડૂતો ક્યારેય પણ મોટા લેવલ પર ચાલતી રાજનીતિ સમજી શક્યા નથી.

સાગર રબારી એ જણાવ્યું કે, ભારતીય કિસાન સંઘ ક્યારેય ભરોસાપાત્ર રહ્યું નથી. કારણ કે તેઓ ખેડૂતોના મુદ્દાઓ કરતા રાજનીતિને વધારે મહત્વ આપે છે અને ખેડૂતોને છેતરવાનું કામ કરે છે. ભારતીય કિસાન સંઘ ખેડૂતો માટે નહીં પરંતુ ભાજપ માટે કામ કરી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીને ફાયદો થાય તે જ રીતે ભારતીય કિસાન સંઘ કામ કરે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સાગર રબારી કહ્યું કે, ભાજપનું અભિન્ન અંગ ભારતીય કિસાન સંઘ આંદોલનના નામે ખેડૂતોને છેતરવાનું કામ કરે છે…"

Leave a comment

Your email address will not be published.


*