મુખ્યમંત્રી વિજય રૂપાણી ની અધ્યક્ષતા માં મહત્વપૂર્ણ બેઠકનું આયોજન, રાત્રી કર્ફ્યુ સહિતના આ મુદ્દા પર કરાશે ચર્ચા.

Published on: 9:56 am, Wed, 24 March 21

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી ની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને આ બેઠકમાં રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણ ને લઈને ચર્ચા કરવામાં આવશે. કોરોના ની સ્થિતિ, વ્યવસ્થા અને રસીકરણ અંગે સમીક્ષા કરવામાં આવશે.

આ ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણી શાળા કોલેજ મામલે અને પરીક્ષાઓ યોજવા અંગે માર્ગદર્શન આપશે તેમજ ઉનાળા ની શરૂઆતમાં પાણી વિતરણનો મામલો પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.

ગુજરાત રાજ્યમાં વેક્સિનેશન કામગીરી ઝડપી બનાવવા પ્રયાસ કરી રહ્યા છે અને વૃદ્ધાશ્રમમાં આજથી વેક્સિન આપવાની કામગીરી શરૂ કરવામાં આવશે.

નીરાશર્ય લોકોને પણ કોરોના વેક્સિન આપવામાં આવશે. વેકસીન માટે આધાર કાર્ડ ની આવશ્યકતા નહીં રહે. અત્યાર સુધીમાં 34.94 લાખ લોકોને વેક્સિન નો પ્રથમ ડોઝ અપાયો છે.

6.09 લાખ લોકોને વેક્સિન ના બે ડોઝ આપવામાં આવ્યા છે.ગઈકાલે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના ના 1730 કેસ નોંધાયા હતા.

1255 દર્દીઓ સાજા થયા છે અને અત્યાર સુધીમાં 2,77,603 કોરોના મુક્ત થયા છે તો 4 લોકોને સારવાર દરમિયાન મોત થયા છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 4458 લોકોના મોત કોરોના ના કારણે થયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "મુખ્યમંત્રી વિજય રૂપાણી ની અધ્યક્ષતા માં મહત્વપૂર્ણ બેઠકનું આયોજન, રાત્રી કર્ફ્યુ સહિતના આ મુદ્દા પર કરાશે ચર્ચા."

Leave a comment

Your email address will not be published.


*