દેશમાં કાંઈક નવા-જૂની થવાના એંધાણ, 24 તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મહત્વની બેઠક.

Published on: 5:21 pm, Tue, 22 June 21

24 તારીખે કેન્દ્રીય કેબિનેટની એક મોટી બેઠક યોજાવાની છે. આ બેઠકમા દેશવ્યાપી વેક્સિનેશન અંગે ભવિષ્યવાણી રણનીતિ સહિત બીજા અન્ય મુદ્દા પર ચર્ચા થશે. છેલ્લા કેટલાય દિવસોથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સિનિયર મંત્રીઓ સાથે બેઠકો ચાલી રહી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ બેઠકમાં દેશ નવાજૂની થવાના એંધાણ છે. અને બીજા અન્ય મુદ્દા પર પણ ફેંસલો થઈ શકે છે. પ્રધાનમંત્રીની આ બેઠકમાં જમ્મુ-કાશ્મીરના 14 નેતાઓને બોલાવવામાં આવ્યા છે.

આ બેઠકમાં જમ્મુ-કાશ્મીરની ચૂંટણી અને યુપીની ચૂંટણી અંગે મહત્વની ચર્ચા થશે તેવી શક્યતા છે. આ ઉપરાંત આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, રાજનાથ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ઉપરાંત બીજા નેતાઓ પણ હાજરા રહેશે.

મળતી માહિતી મુજબ આ બેઠકમાં કેન્દ્ર સરકાર જમ્બૂ કશ્મીર સાથે જોડાયેલા અનેક મહત્વના મુદ્દા પર ચર્ચા કરી શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે 24 તારીખે જમ્બૂ કશ્મીરના ટોચના 14 નેતાઓને દિલ્હી બોલાવવામાં આવશે.

14 નેતામાંથી ચાર પૂર્વ મુખ્યમંત્રી ઓ, ફારુક અબ્દુલા, ઉમર અબ્દુલલા આ ઉપરાંત કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ અને મહેબુબા મુફતી વગેરે હાજર રહેશે.

આ બેઠકમાં ગ્રુપ કાર ગઠબંધનના નેતાઓએ ભાગ લેવાનું મહત્વનો નિર્ણય કર્યો છે. આ ગઠબંધનમાં ફારુક અબ્દુલાની એનસી, ઉપરાંત PDP સહિતના જમ્મુ કશ્મીરના છ રાજકીય પક્ષો સામેલ રહેશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "દેશમાં કાંઈક નવા-જૂની થવાના એંધાણ, 24 તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મહત્વની બેઠક."

Leave a comment

Your email address will not be published.


*