કોરોના નું સંક્રમણ વધતા રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય, આજ સાંજે 6 વાગ્યાથી લાગુ થશે વીકેન્ડ કરફ્યુ, જાણો શું રહેશે બંધ.

Published on: 10:21 am, Fri, 16 April 21

રાજસ્થાનમાં કોરોના બેકાબૂ બનતા અશોક ગહેલોત સરકારે વીકેન્ડ કરફ્યુ ની જાહેરાત કરી છે. તેઓએ કહ્યું કે કડક પગલાં નહીં લેવાય તો સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. રાજસ્થાનમાં કોરોના ના આંકડા ચોંકાવી રહ્યા છે.

ત્યારે સ્થિતિને કાબૂમાં લેવા માટે અશોક ગેહલોત સરકારે ખાસ નિર્ણય લીધો છે.જાહેર કરેલા આદેશ અનુસાર રાજ્યમાં સાંજે 6 વાગ્યાથી સોમવારે 5 વાગ્યા સુધી કરફ્યુ જાહેર કરવામાં આવ્યો છે.

મુખ્યમંત્રીએ વધતા કોરોના ને લઈને કહ્યું કે મહામારીના વધતા સંક્રમણ ને લઈને આજે સાંજે 6 વાગ્યાથી સોમવારે સવારે 5 વાગ્યા સુધી કડક રીતે કરફયુ નું પાલન કરશે.

અને સાથે કોરોના ના નિયમોનું પણ યોગ્ય રીતે પાલન થાય તે જરૂરી છે.મુખ્યમંત્રીએ ટ્વિટ કરીને કહ્યું કે કર્ફ્યુ સમયે પહેલાથી ચાલી રહેલા નિયમોમાં જે છૂટ છે.

તેમાં ફકત દૂધ,શાક,બેંક,ગેસ ની સેવાઓ ચાલુ રહેશે.આ સિવાય 17 જિલ્લામાં કોરોના થી કેસ આવી રહ્યા છે ત્યાં વધારે કડક નિયમ લાગુ કર્યા છે.

તેઓએ કહ્યુ કે પહેલા કરતા પણ આ લહેર ખતરનાક છે.પ્રદેશ માં 6658 નવા કેસ અને 33 મોત આવતા આ વિકેન્ડ કરફ્યુ નો નિર્ણય લેવાયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કોરોના નું સંક્રમણ વધતા રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય, આજ સાંજે 6 વાગ્યાથી લાગુ થશે વીકેન્ડ કરફ્યુ, જાણો શું રહેશે બંધ."

Leave a comment

Your email address will not be published.


*