31 ડિસેમ્બર બાદ રાજ્યના આ ચાર શહેરોમાં રાત્રી કરફ્યુ ને લઈને આજરોજ થઈ શકે છે મહત્વની જાહેરાત.

Published on: 9:17 am, Mon, 28 December 20

ગુજરાતના ચાર મહાનગર એટલે કે સુરત,અમદાવાદ,વડોદરા અને રાજકોટમાં રાત્રી કર્ફ્યુનો અમલ કરવામાં આવી રહ્યો છે. હાલ ૩૧ ડિસેમ્બરે રાત્રે કરતું જાહેરનામું પૂર્ણ થવા આવી રહયું છે ત્યારે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં લઈને આજની હાઈલેવલ બેઠકમાં રાત્રી કર્ફ્યુ ના નિયમમાં ફેરફાર કરવામાં આવે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. કોરોના મહામારીમાં રાજ્ય સરકાર દ્વારા દિવાળી બાદ.

કોરોના કેસમાં સતત વધારો ખાતા રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રી કરફ્યુ જાહેરાત કરવામાં આવી હતી જોકે તે 31 ડિસેમ્બરે રાત્રી કરફ્યુ જાહેરનામું પૂર્ણ થઈ રહ્યું છે.આગામી સમયમાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં લઈને રાત્રિ કરફ્યુ ના સમયમાં આંશિક ફેરફાર કરવામાં આવી શકે છે.

બીજી તરફ અટકળો મુજબ રાત્રી કર્ફ્યુ જાન્યુઆરીના અંત સુધી લંબાવવામાં આવી શકે છે. રાત્રી કર્ફ્યુ માં સમયમાં ફેરફાર કરવામાં આવે તેવી સંભાવના છે.

અને જેમાં રાત્રિના 9 વાગ્યાના બદલે 11 અને સવારે 6 વાગ્યાના બદલે 5 વાગ્યા સુધીમાં અમલવારી થઇ શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "31 ડિસેમ્બર બાદ રાજ્યના આ ચાર શહેરોમાં રાત્રી કરફ્યુ ને લઈને આજરોજ થઈ શકે છે મહત્વની જાહેરાત."

Leave a comment

Your email address will not be published.


*