રજા લઈને ઘરે જવા નીકળેલા ત્રણ આર્મી-જવાનોની કાર નહેરમાં ખાબકતાં, એક આર્મી જવાન નું મૃત્યુ…

Published on: 10:32 pm, Fri, 20 August 21

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી રહી છે. કારણકે હાલમાં દેશમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે અને વરસાદી માહોલમાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે હાલમાં એવો જ એક બનાવ બન્યો છે આ સમગ્ર ઘટના પંજાબની છે. મળતી માહિતી મુજબ પંજાબના પટિયાલા મંગળવારે બપોરના સમયે એક અકસ્માત સર્જાયો હતો.

મળતા અહેવાલ અનુસાર આ ઘટનામાં ત્રણ આર્મી જવાનો જેના માંથી રજા લઈને પોતાના ઘરે જવા નીકળ્યા હતા તે દરમ્યાન પટિયાલાના-નભા રોડ પર તેમની કાર એક નેહરમાં પડી ગઈ હતી.

આ સમગ્ર ઘટનામાં એક આર્મી જવાનો મૃત્યુ થયું અને બાકીના બે જવાન પાણીમાં તણાઈ ગયા હતા. આસપાસના લોકો દ્વારા ત્રીજા આર્મી જવાન ને નહેરમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. આ અકસ્માતની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

ત્યારબાદ ક્રેનની મદદથી નેહરમાંથી કાર બહાર કાઢવામાં આવી હતી. આ ઉપરાંત એક આર્મી જવાનું મૃતદેહ બહાર કાઢવામાં આવ્યું હતું. બીજા આર્મી જવાનની શોધખોળ હજુ પણ શરૂ થઈ.

મળતી માહિતી અનુસાર આ ત્રણેય જવાનોના નામ સામે આવ્યા છે. જગમતી સિંહ, કમલજીત સિંહ અને મનપ્રિત સિંહ આ ત્રણેય આર્મીના જવાનો અગાઉ 10 દિવસ પહેલા રજા લઈને તેમના ઘરે આવ્યા હતા.

અને તેઓ 27 ઓગસ્ટના રોજ ભરત જવાના હતા. તે પહેલા જ મંગળવારના રોજ આ સમગ્ર ઘટના બની હતી. મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં જગમતી સિંહનું અકસ્માતમાં મૃત્યુ થયું છે.

જ્યારે મનપ્રીત સિંહ પાણીના તળાવ માં તણાઈ ગયા હતા અને તેમની શોધખોળ ચાલુ છે. કમલજીત સિંહને આસપાસના લોકો દ્વારા નહેરમાં થી બહાર ખેંચી લેવામાં આવ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "રજા લઈને ઘરે જવા નીકળેલા ત્રણ આર્મી-જવાનોની કાર નહેરમાં ખાબકતાં, એક આર્મી જવાન નું મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*