રાજકોટમાં ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. ત્યારે હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. રાજકોટ શહેરના સંત કબીર રોડ નજીક માર્કેટિંગ યાર્ડ પાસે આવેલી ભગીરથ સોસાયટીમાં ઇમિટેશન મશીન પર કામ કરતા એક યુવાનને દર્દનાક મોત મળ્યું છે.
યુવાનના મોત પાછળનું કારણ સાંભળીને રુવાડા બેઠા થઈ જશે. મૃત્યુ પામેલા યુવકનું નામ ચિરાગ દિનેશભાઈ દેગામા હતું અને તેની ઉંમર 18 વર્ષની હતી. ચિરાગ ભગીરથ સોસાયટીમાં પોતાના પરિવાર સાથે રહેતો હતો. અચાનક જ ચિરાગનું મોત થતા તેના પરિવારજનો અને સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયો છે.
જાણવા મળી રહ્યું છે કે ચિરાગ ના પિતા અને પરિવારના અન્ય સભ્યો ઘરના નીચેના માળે ઇમિટેશન નું કારખાનું હતું ત્યાં કામ કરતા હતા. ચિરાગ સવારે 8:30 વાગ્યાની આસપાસ ઇમિટેશનના મશીન પર કામ કરી રહ્યો હતો. ત્યારે અચાનક જ તેને જોરદાર બીજ કરંટ લાગ્યો હતો.
જેના કારણે તે બેભાન થઈને જમીન પર ઢળી પડ્યો હતો. આ ઘટનાની જાણ થતા જ પરિવારના સભ્યો દોડતા થઈ ગયા હતા. પછી ચિરાગને ઉપાડીને તાત્કાલિક સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
જ્યાં સિવિલ હોસ્પિટલમાં હાજર ડોક્ટરે ચિરાગને મૃત જાહેર કર્યો હતો. ચિરાગના મોતના સમાચાર મળતા જ હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મૃત્યુ પામેલો ચિરાગ બે ભાઈઓમાં મોટો હતો.
મળતી માહિતી અનુસાર ચિરાગની સગાઈ હજુ એક મહિના પહેલા જ થઈ હતી ઘટનાની જાણ થયા બાદ બી ડિવિઝન પોલીસ હોસ્પિટલ ખાતે પહોંચે આવી હતી. ત્યારબાદ ચિરાગના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યું હતું અને સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment