ગુજરાતમાં 8 મહાનગરપાલિકા સિવાય તમામ શહેરો કરફ્યૂ મુક્ત, આ જગ્યાઓ ખોલવા આપી મંજૂરી

Published on: 10:42 pm, Thu, 8 July 21

ગુજરાતમાં કોરોના ની બીજી લહેર વચ્ચે રાત્રિ કરફ્યુ ને લઈને આવ્યા મહત્વના સમાચાર મુખ્યમંત્રી વિજય રૂપાણી અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીનીમાં લેવાયા નિર્ણય. રાજ્યમાં સુરત, વડોદરા, ભાવનગર, રાજકોટ, અમદાવાદ, જૂનાગઢ , જામનગર અને ગાંધીનગર એ આઠ શહેરોમાં રાત્રી કર્ફ્યુ અમલમાં રહેશે.

હવે રાજ્યમાં 8 મહાનગરી પૂરતો જ આ રાત્રી કર્ફ્યુ અમલમાં રહેશે. બાકીના બધા શહેરો કરફ્યૂ મુક્ત થઈ ગયા છે. આ આઠ શહેરોમાં રાત્રી કર્ફ્યુ 10 વાગ્યા થી 6 વાગ્યા સુધી યથાવત રહેશે.

ઉપરાંત 50% ની ક્ષમતા સાથે ખોલી શકાશે કોચિંગ ક્લાસીસ ઉપરાંત ધોરણ નવ થી ઉપરના ધોરણના વિદ્યાર્થી માટે ટ્યુશન ક્લાસ ની મંજૂરી છે. ઉપરાંત શાળા કોલેજમાં પ્રવેશ અને સ્પર્ધાત્મક ભરતી પરીક્ષા ઓફલાઈન યોજી શકાશે.

રાજકીય અને ધાર્મિક કાર્યક્રમોમાં 200 વ્યક્તિની મંજૂરી આપી. ઉપરાંત લગ્ન પ્રસંગ માટે 150 લોકોની મંજૂરી અપાઈ. રસીકરણ ની વાત કરીએ તો 31 જુલાઈ સુધી તમામ વેપારીઓને રસી લેવી પડશે.

જે શહેરમાં રાત્રી કર્ફ્યુ અમલમાં છે તે શહેરોમાં તમામ દુકાનો, લારી ગલ્લાઓ, માર્કેટયાર્ડ, શોપિંગ, બ્યુટી પાર્લર, હેર કટીંગ સલૂન વગેરે વસ્તુઓ રાત્રે 09:00 સુધી ખુલ્લી રખાશે.

ઉપરાંત તમામ રેસ્ટોરન્ટમાં 09:00 સુધી 60% ની ક્ષમતા સાથે લોકોને બેસવા દેવામાં આવશે. ઉપરાંત home delivery ની સુવિધા બાર વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાતમાં 8 મહાનગરપાલિકા સિવાય તમામ શહેરો કરફ્યૂ મુક્ત, આ જગ્યાઓ ખોલવા આપી મંજૂરી"

Leave a comment

Your email address will not be published.


*