સુરત પરત ફરી રહેલા આહિર પરિવારને વલ્લભીપુર-ઉમરાળા હાઇવે પર નડ્યો અકસ્માત, એક જ પરિવારના 3 સભ્યો સહિત 4 લોકોના મૃત્યુ – આહિર સમાજમાં માતમ છવાઈ ગયો…

Published on: 3:43 pm, Mon, 15 August 22

ગુજરાત રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. ત્યારે હાલમાં બનેલી વધુ એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટના ભાવનગર જિલ્લાના વલ્લભીપુર-ઉમરાળા હાઇવે પર બની હતી. વલ્લભીપુર ઉમરાળા હાઇવે પર મોડી રાત્રે લક્ષ્મી પેટ્રોલ પંપ પાસે કાર અને ડમ્પર વચ્ચે ટક્કર થતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતની ઘટનામાં ત્રણ લોકોના ઘટના સ્થળે મૃત્યુ થયા હતા. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ અકસ્માતમાં ચાર લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.

આ ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઈ ગયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો તો ભાંગીને ભૂકો થઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર અમરેલી નો આહીર પરિવાર સુરત પરત આવી રહ્યો હતો. આ દરમિયાન વલ્લભીપુર-ઉમરાળા હાઇવે પર મોડી રાત્રે તેઓની કારને અકસ્માત નડ્યો હતો.

અકસ્માતમાં આહિર પરિવારના ત્રણ સભ્યોના કરુણ મૃત્યુ નીપજ્યા હતા. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યાં તેનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ ગંભીર અકસ્માતની ઘટનામાં જીલુભાઈ ભુવા, ગીતાબેન ભુવા તેમજ શિવમ નામના યુવકનું મૃત્યુ નીપજ્યું હતું.

આ ઉપરાંત શુભમ નામના એક વ્યક્તિનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ પોલીસ અને આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આહિર પરિવારના ત્રણ સભ્યોના અકસ્માતમાં મૃત્યુ થતાં આહિર સમાજમાં માતમ છવાઈ ગયો હતો. અકસ્માત કોની ભૂલના કારણે થયો તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. જેને લઇને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સુરત પરત ફરી રહેલા આહિર પરિવારને વલ્લભીપુર-ઉમરાળા હાઇવે પર નડ્યો અકસ્માત, એક જ પરિવારના 3 સભ્યો સહિત 4 લોકોના મૃત્યુ – આહિર સમાજમાં માતમ છવાઈ ગયો…"

Leave a comment

Your email address will not be published.


*