ગાંધીનગરમાં લગ્નના ત્રણ મહિના બાદ એક મહિલાએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું, આ પગલું ભરવા પાછળનું કારણ જાણીને ચોકી જશો…

Published on: 4:08 pm, Sat, 25 June 22

હાલમાં બનેલી એક જીવન ટૂંકાવવાની ઘટના સામે આવી છે. આ ઘટના ગાંધીનગરમાં બની હતી. અહીં રાંદેસણની એક યુવતીએ લગ્નના ત્રણ મહિના બાદ પંખા સાથે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ ઘટના બનતા જ ચારેય બાજુ ચકચાર મચી ગઇ હતી. ઇન્ફોસિટી પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, લગ્ન બાદ મોડી રાત સુધી પણ પતિ ઘરે પરત આવતા ન હતા, આ બાબતે પતિ-પત્ની વચ્ચે માથાકૂટ થતી હતી.

મળતી માહિતી અનુસાર એક મહિના પહેલા પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો, ત્યારે પત્નીએ પોતાનો જીવ ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. હાલમાં આ સમગ્ર ઘટનાને લઇને પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે. સમગ્ર ઘટનાને લઇને વિસ્તૃતમાં વાત કરીએ તો, મૂળ દહેગામ વાસણા રાઠોડ ગામના રાજેન્દ્રસિંહ બીહોલાની બંને દીકરીના લગ્ન ગત બીજા મહિનામાં 4 તારીખે રાંદેસણ ગામના કરણસિંહ વાઘેલાના બંને દીકરાઓ સાથે થયા હતા.

બંને બહેનોમાંથી મોટી બહેન કામિનીબા ના લગ્ન મયુરસિંહ સાથે થયા હતા અને નાની દીકરી જાનકીબા ના લગ્ન હાર્દિકસિંહ સાથે થયા હતા. કામિનીબા ના પતિ મયુરસિંહ બુલેટ મોડીફીકેશન નો વ્યવસાય કરે છે. નવા નવા લગ્ન થયા હોવા છતાં પણ મયુરસિંહ દરરોજ મોડી રાત થઈ જાય તો પણ ઘરે આવતા ન હતા.

મયુરસિંહનો આ સ્વભાવ કામિનીબાને ગમતો ન હતો. જેના કારણે દંપતી વચ્ચે નાની-મોટી બોલાચાલી થઈ જતી હતી. આ મુદ્દે એક મહિના પહેલા પણ મયુરસિંહ અને કામિનીબા બાબતે માથાકુટ થઇ હતી. ત્યારે કામિનીબાએ જીવ ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે મયુરસિંહ બોલ્યા હતા કે એવું કંઈ કરતી નહીં હું ફસાઈ જઈશ.

ત્યારે ગુરૂવારના રોજ રાત્રે મયુરસિંહ મોડી રાત્રે ઘરે ગયા હતા. જમીને ડ્રોઇંગરૂમમાં લેપટોપ લઈને પોતાનું કામ કરવા લાગ્યા હતા. બીજી તરફ કામિનીબા રૂમમાં એકલા સુતા હતા. બીજા દિવસે સવારે જ્યારે જાનકીબા પોતાની મોટી બહેન કામિનીબા ના રૂમમાં ગયા, ત્યારે તેમને પંખા સાથે મોટી બહેનનું મૃતદેહ લટકતો જોયું હતું.

આ દ્રશ્ય જોઈને તેની ચીસ પડી ગઈ હતી. તેથી પરિવારના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ગાંધીનગરમાં લગ્નના ત્રણ મહિના બાદ એક મહિલાએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું, આ પગલું ભરવા પાછળનું કારણ જાણીને ચોકી જશો…"

Leave a comment

Your email address will not be published.


*