’આપ’ની સરકાર બન્યા બાદ તમામ જગ્યાઓને ભ્રષ્ટાચારમુક્ત કરીને સારામાં સારું મધ્યાહન ભોજન મળી રહે તેવી વ્યવસ્થા કરીશું: ઈસુદાન ગઢવી

Published on: 8:06 pm, Fri, 23 September 22

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈશુદાન ગઢવી એક વિડીયોના માધ્યમ એ જણાવ્યું કે, પાટણમાં મધ્યાહન ભાજપ યોજનાના કર્મચારીઓ ઘણા દિવસોથી ધરણા ઉપર બેઠા છે. માત્ર પાટણના જ નહીં પરંતુ ગુજરાતના તમામ કર્મચારીઓ ધારણા ઉપર બેઠા છે. એમની માંગ છે કે લઘુત્તમ વેતન આપવામાં આવે. એમને જે કુકિંગ ચાર્જ આપવામાં આવે છે. એ માત્ર 2.80 રૂપિયા જ આપવામાં આવે છે.

જ્યારે ગેસ સિલિન્ડરનો ભાવ 350 થી 400 રૂપિયા હતો. ત્યારે આ ભાવ આપવામાં આવતો હતો. અત્યારે ગેસ સિલિન્ડરનો ભાવ 1100 રૂપિયા થઈ ગયો છે તો સ્વભાવિક છે કે એમને પણ એના પ્રમાણમાં વેતન મળવું જોઈએ. વધુમાં ઈશુદાન ગઢવીએ વાત કરતા જણાવ્યું કે આજે મેં છાવણી પર મુલાકાત લીધી છે અને એમને આશ્વાસન આપ્યું છે કે જો આમ આદમી પાર્ટીની સરકાર આવી તો માત્ર બે મહિનામાં જ મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓની માંગ પૂરી કરવામાં આવશે.

વધુમાં વાત કરતા ઈશુદાન ગઢવી એ જણાવ્યું કે મધ્યાહન ભોજન યોજનામાં જે પણ અનાજો આપવામાં આવે છે તે બહુ સડેલા અનાજો આપવામાં આવે છે. ક્યાંક તો ઈલા ચડી ગયા હોય તેવા અનાજ આપવામાં આવે છે. તો તમામ જગ્યાઓ ઉપર ભ્રષ્ટાચાર મુક્ત શાસન કરીને સારામાં સારું મધ્યાહન ભોજન મળી રહે, બાળકોને પૌષ્ટિક ખોરાક મળી રહે, બાળકો કુપોષણ માંથી બહાર આવે એના માટેની વ્યવસ્થા કરીશું.

ઈશુદાન ગઢવીએ વધુમાં વાત કરતા જણાવ્યું કે બાળકો કુપોષણ માંથી બહાર આવશે, ત્રણ લાખથી પણ વધારે બાળકો ગુજરાતમાં કુપોષિત છે. તો તમામને વધારે ફાળવીને મધ્યાહન ભોજન યોજનાનવ જે આગેવાનો છે, કર્મચારીઓ છે એમની સાથે રાખીને સારો ખોરાક મળી રહે, વિવિધ પ્રકારનો ખોરાક મળી રહે એવી વ્યવસ્થા આમ આદમી પાર્ટી કરશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "’આપ’ની સરકાર બન્યા બાદ તમામ જગ્યાઓને ભ્રષ્ટાચારમુક્ત કરીને સારામાં સારું મધ્યાહન ભોજન મળી રહે તેવી વ્યવસ્થા કરીશું: ઈસુદાન ગઢવી"

Leave a comment

Your email address will not be published.


*