દીકરાના મૃત્યુ બાદ પરિવારના ચાર સભ્યોએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું, અંતિમ યાત્રામાં હાજર તમામ લોકો રડી પડ્યા…

Published on: 6:56 pm, Sat, 22 January 22

રાજસ્થાનમાં થોડાક દિવસો પહેલા બનેલી એક ખૂબ જ દુઃખદ ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર 18 વર્ષના અમર નામના એક યુવકનું મૃત્યુ થતા પરિવારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા અમન અને હૃદયરોગની બીમારી હતી.

અમરના મૃત્યુ બાદ તેના પિતા હનુમાન પ્રસાદ અમરના મૃત્યુનો આઘાત સહન ન કરી શક્યા. તેના કારણે અમરના પિતા હનુમાન પ્રસાદ (ઉંમર 48 વર્ષ), માતા તારાબેન (ઉંમર 45 વર્ષ) અને બે બહેનોએ સાથે મળીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ ઘટના બનતા જ આખા ગામમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું.

ગામના દરેક લોકોના આંખમાં આંસુ આવી ગયા હતા. કારણ કે ગામમાં એક જ દિવસે 4 લોકોની અર્થી ઉઠી હતી. અંતિમ યાત્રામાં હાજર તમામ લોકો રડવા લાગ્યા હતા. મળતી માહિતી અનુસાર 27 સપ્ટેમ્બરના રોજ અમરનું હદય રોગના કારણે મૃત્યુ થયું હતું.

અમરનું મૃત્યુ થયા બાદ અમરનું પરિવાર ખૂબ જ નબળું પડી ગયું હતું. અને હાલમાં થોડાક દિવસ પહેલા જ અમરના પિતાએ એક મિસ્ત્રી પાસે રૂમમાં લોખંડના આકડીયા લગાવ્યા હતા. અને ત્યારબાદ કોઈની પાસે દોડી પણ મંગાવ્યું હતું.

અને રવિવારના રોજ સાંજે પરિવારે મળીને ગળા ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. જ્યારે સાંજે દૂધવાળો ઘરે દૂધ લેવા આવ્યો ત્યારે કોઈ બહાર ન આવ્યું. ત્યારે દૂધ વાળાએ અમરના પિતાને ફોન કર્યો હતો. ત્યારે ઘરની અંદરથી રીંગ નો અવાજ આવતો હતો પરંતુ કોઈ જવાબ આપ્યો નહીં.

ત્યારે દૂધ વાળા એ અમરના પિતાના ભાઈ ઘનશ્યામભાઈ ને ત્યાં બોલાવ્યા હતા. ત્યારબાદ તેઓએ દરવાજો તોડી અને દરવાજો તોડ્યો ત્યારે અંદરથી પરિવારના ચાર સભ્યોના મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળ્યા હતા. ત્યારબાદ તેઓએ આ સમગ્ર ઘટનાની જાણ થતા તાત્કાલીક પોલીસને કરી હતી.

ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી અને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી હતી. આ ઉપરાંત એક સુસાઈડ નોટ પણ મળી આવ્યો હતો. સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, અમે બધા સભ્યો પણ અમારા જીવનને અલવિદા કહી રહ્યા છીએ.

અમે અમારા પુત્ર ને બચાવવાનો ખુબ જ પ્રયાસ કર્યો પરંતુ તે બચી શક્યો નહીં અને તે અમને છોડીને ચાલ્યો ગયો, તો અમે શું કરશું? હવે મને કંઈ કરવાનું મન થતું નથી. અમારી પાસે સરકારી નોકરી, દુકાન, ઘર બધું છે પરંતુ દીકરો નથી. તેના કારણે અમે અમારું જીવન ટૂંકાવી એ છીએ. આ ઉપરાંત લખ્યું હતું કે, અમે પોલીસને વિનંતી કરીએ છીએ કે અમારા કોઈ સંબંધીઓને પરેશાન ન કરશો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "દીકરાના મૃત્યુ બાદ પરિવારના ચાર સભ્યોએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું, અંતિમ યાત્રામાં હાજર તમામ લોકો રડી પડ્યા…"

Leave a comment

Your email address will not be published.


*