7 વર્ષના દીકરાના મૃત્યુ બાદ ધનરાજભાઈએ બીજા દીકરા માટે માં મોગલની માનતા માની, માં મોગલના આશીર્વાદથી ધનરાજભાઈના ઘરે નિશાનીવાળા દીકરાનો જન્મ થયો…

Published on: 6:41 pm, Thu, 6 October 22

આપણે બધા જાણીએ છીએ કે માં મોગલની કૃપા તો અપરંપાર છે. અત્યાર સુધીમાં માં મોગલ લાખો ભક્તોને પોતાના પરચા બતાવ્યા હશે. માત્ર માં મોગલના દર્શન કરવાથી આપણા જીવનના તમામ દુઃખ દૂર થઈ જાય છે. માં મોગલ પોતાના ચરણમાં આવેલા તમામ ભક્તોની મનોકામનાઓ પૂરી કરે છે. એટલે જ માં મોગલ ને અઢારે વરણની માતા કહેવામાં આવે છે.

માં મોગલના પરચા ની તમે ઘણી બધી વાતો સાંભળી હશે. ત્યારે હાલમાં આપણે તેવા જ એક પરચા વિશે વાત કરવાના છીએ. ધનરાજભાઈ નામના એક વ્યક્તિના ઘરે એક દીકરાનો જન્મ થયો હતો. દીકરાનો જન્મ થતા જ પરિવારના લોકો બધા ખૂબ જ ખુશ હતા.

જ્યારે દીકરો સાત વર્ષનો થયો ત્યારે અચાનક જ દીકરાનું મૃત્યુ થઈ ગયું હતું. દીકરાનું મૃત્યુ થતા જ પરિવારની તમામ ખુશીઓ છીનવાઈ ગઈ હતી. ધનરાજભાઈ અને તેમના પત્ની દીકરાના મૃત્યુ બાદ દુઃખ ભર્યું જીવન જીવી રહ્યા હતા. ત્યારે ધનરાજભાઈ અને તેમના પત્ની મા મોગલ ને પ્રાર્થના કરે છે કે અમારા ઘરે દીકરાનો જન્મ થાય તેવા આશીર્વાદ આપો.

તો માં મોગલે દંપત્તિને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે, જો તારા ઘરે કોઈ નિશાની વાળા દીકરાનો જન્મ થાય તો માની લેજે કે આ દીકરો માં મોગલ એ આપ્યો છે. ત્યારે ધનરાજભાઇએ માનતા માની કે દીકરાનો જન્મ થશે તો તેઓ દીકરાને લઈને કબરાઉ ધામ આવશે અને માં મોગલના ચરણમાં 13,000 અર્પણ કરશે.

થોડાક દિવસો બાદ ધનરાજભાઈના ઘરે એક દીકરાનો જન્મ થયો અને આ દીકરો નિશાનીવાળો હતો. માં મોગલનો પરચો જોઈને ધનરાજભાઈ અને તેમનું પરિવાર ખૂબ જ ખુશ થઈ ગયું હતું. દીકરાના જન્મના થોડાક દિવસ બાદ ધનરાજભાઈ પોતાના દીકરાને લઈને મોગલ ધામ પહોંચ્યા હતા.

મોગલ ધામ મણીધર બાપુ એ દીકરાને પોતાના ખોળામાં લઈને આશીર્વાદ આપ્યા હતા અને કહ્યું હતું કે તને આ દીકરો માં મોગલે આપ્યો છે. ત્યારબાદ ધનરાજભાઈ 13,000 માં મોગલના ચરણમાં અર્પણ કર્યા ત્યારે મણીધર બાપુએ તેમાં એક રૂપિયો ઉમેરીને ધનરાજભાઈની પત્નીને રૂપિયા પરત આપ્યા. મણીધર બાપુએ કહ્યું કે મા મોગલ આપનારી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "7 વર્ષના દીકરાના મૃત્યુ બાદ ધનરાજભાઈએ બીજા દીકરા માટે માં મોગલની માનતા માની, માં મોગલના આશીર્વાદથી ધનરાજભાઈના ઘરે નિશાનીવાળા દીકરાનો જન્મ થયો…"

Leave a comment

Your email address will not be published.


*