પતિના મૃત્યુ બાદ આ મહિલાની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ, એકલા હાથે પરિવારના 11 લોકોની જવાબદારી ઉઠાવે છે, આ વાતની જાણ ખજૂર ભાઈને થતા…

Published on: 6:55 pm, Sat, 23 July 22

કોમેડીમેન તરીકે જાણીતા થયેલા એ ખજૂર ભાઈને તો આપ સૌ ઓળખતા જ હશો કે જેમને હાલ ગુજરાતના ગરીબોનાં મસીહા તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે તેઓએ સૌ કોઈના દિલમાં પોતાનો અનોખું સ્થાન બનાવી દીધું છે. ખજૂર ભાઈ આજે સૌ કોઈ જરૂરિયાતમંદ લોકોની મદદ કરીને માનવતાનો ઉત્તમ ઉદાહરણ સમાજ સામે પૂરું પડી રહ્યા છે, ત્યારે ફરી એકવાર નવો કિસ્સો સામે આવ્યો છે.

ગત વર્ષે પણ આવેલા એવા વાવાઝોડા દરમ્યાન કેટલાય લોકો બે ઘર બન્યા હતા ત્યારે એ તમામ લોકોને નવા ઘર બનાવી આપીને તેમણે 200 ઘર બનાવવાનો ટાર્ગેટ પણ પૂર્ણ કર્યો હતો. એવા જ આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે હાલ ખજૂર ભાઈ કુકાવાવ તાલુકાના દેવ ગામમાં આવી પહોંચ્યા છે કે જે ગામમાં રહેતા દિલીપભાઈ રાજાભાઈ સોલંકીનું મૃત્યુ થઈ ગયા બાદ તેમનું ઘર સાવ પડી ગયું હતું.

તેથી તેમની મુલાકાતે પહોંચી ગયા છે. હાલ તો ખજૂર ભાઈએ એ દિલીપભાઈ નો પરિવારની મુલાકાત લેતાની સાથે જ જાણવા મળ્યું હતું કે તેમની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી. તેથી તેમનો આશરો આપવા માટે તેમને એક નવું ઘર બનાવી આપવા તેમની મદદ એ દોડી ગયા હતા.

એટલું જ નહીં આપણે સૌ જાણીએ છીએ કે ખજૂર ભાઈએ હાલ તો બધા જ જરૂરિયાતમંદ વ્યક્તિઓ સુધી પહોંચીને ઘણી એવી મદદ કરી છે. ઉનાળાની ઋતુમાં પણ ગરમીથી બચવા માટે ઘણા લોકોને કુલર જેવી વ્યવસ્થા પણ કરી આપી હતી. તેથી જ તો તેઓ ગરીબોના મસિહા કહેવાય છે.

હાલ તો ખજૂર ભાઈ ગૌરીબેન ની મદદ કરવા માટે પહોંચ્યા છે. ગત વર્ષે પણ વાવાઝોડા દરમ્યાન આ ગૌરીબેન નું ઘર પડી ગયું હતું અને તેમના પતિના અવસાન બાદ ગૌરીબેન એકલા હાથે 11 લોકોનું ગુજરાન ચલાવી રહ્યા હતા. એવામાં જ ખજૂર ભાઈ તેમની પરિસ્થિતિ વિશે જાણીને તેમને એક નવું ઘર ઝડપથી બનાવી આપવા કહ્યું હતું જેનાથી ગૌરીબેનને આશરો મળી રહે.

નિતીન જોની ઉર્ફે ખજૂર ભાઈ આજે સૌ કોઈના મુખે ચર્ચા રહ્યા છે. તેનું એકમાત્ર કારણ છે તેઓની મદદ કરવાની ભાવના! મદદ કરવાની ભાવના સૌ કોઈ મા નથી હોતી પરંતુ આજના સમયમાં પણ તેઓ અન્ય લોકો વિશે વિચારે છે એ જ મહત્વનું છે. ખજૂર ભાઈને કેટલા વૃદ્ધોના આશીર્વાદ પણ મળી ચૂક્યા છે તો કેટલાય લોકોનો પ્રેમ! આજ કારણ છે તેઓ હંમેશાં લોકોની મદદ માટે તત્પર રહે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પતિના મૃત્યુ બાદ આ મહિલાની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ, એકલા હાથે પરિવારના 11 લોકોની જવાબદારી ઉઠાવે છે, આ વાતની જાણ ખજૂર ભાઈને થતા…"

Leave a comment

Your email address will not be published.


*