કોમેડી કિંગ રાજુ શ્રીવાસ્તવના નિધન બાદ વધુ એક દિગ્ગજ કોમેડિયનનું નિધન -‘ઓમ શાંતિ’

Published on: 5:38 pm, Wed, 5 October 22

હાલમાં એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. બોલીવુડના દિગ્ગજ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવના નિધન થયા બાદ વધુ એક હાસ્ય કલાકાર નું નિધન થયું છે. જેના કારણે ચારે બાજુ માતમ છવાઈ ગયો છે. મળતી માહિતી અનુસાર ‘ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ’ની પહેલી સિઝનના પાંચમા ફાઇનલ લિસ્ટમાં આવીને પ્રખ્યાત થયેલા જાણીતા કોમેડિયન પરાગ કંસારાનું નિદાન થયું છે.

પરાગ કંસારાએ આજરોજ વડોદરા સ્થિત તેમના નિવાસ્થાન પર અંતિમ શ્વાસ લીધા હતા. રાજુ શ્રીવાસ્તવ અને પરાગ કંસારા ખાસ મિત્રો હતા. પરાગ કંસારા ગુજરાતના વડોદરાના રહેવાસી હતા. તેઓ છેલ્લા ઘણા સમયથી ટીવી અને કોમેડી શોથી દૂર હતા.

પરાગ કંસારા સુપરહીટ કોમેડી રિયાલિટી શો ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જમાં દેખાયા હતા. આ ભારતીય ટેલિવિઝનનો પહેલો એવો શો હતો. જેમાં સ્ટેન્ડઅપ કોમેડિયનને એક મોટું મંચ આપવામાં આવ્યું હતું. ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ શો દ્વારા પરાગ કંસારા ઘર ઘરમાં ફેમસ થઈ ગયા હતા. પરાગ કંસારાના નિધનના સમાચાર મળતા જ સમગ્ર ટીવી ઇન્ડસ્ટ્રીમાં માતમ છવાઈ ગયો છે.

કોમેડીના કિંગ ગણાતા રાજુ શ્રીવાસ્તવ સાથે પરાગ કંસારાએ ઘણું બધું કામ કર્યું છે અને પરાગ કંસારા એક મીમીક્રી આર્ટિસ્ટ તરીકે પણ ખૂબ જ જાણીતા છે. આ ઉપરાંત તેમને સુનિલ પાલ, ભગવત માન, અહેસાન કુરેશી અને નવીન પ્રભાકર સાથે પણ કામ કર્યું હતું. પરાગ કંસારાના નિધનના કારણે ચારેય બાજુમાં તમે છવાઈ ગયો છે.

પરાગ કંસારાએ સોશિયલ મીડિયા પર છેલ્લી પોસ્ટ 22 સપ્ટેમ્બરના રોજ મૂકી હતી. તેમને રાજુ શ્રીવાસ્તવના મૃત્યુ બાદ આ પોસ્ટ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, હર જગા ટાઈમ છે પહેલે પહોંચ જાનકી ખાસિયત રહી હૈ, આજ ફિર સે સાબિત કર દિયા એન્ડ પહોંચ ગયે…, હમ સે પહેલે… થોડે દિન… મહિને… સાલ…લેટ હો જાતે.. તો શાયદ હમ ભી જીત જાતે… ફિર સે હમ હાર ગયે… મિસ યુ રાજુભાઈ… આવું લખીને તેમને રાજુ શ્રીવાસ્તવને શ્રદ્ધાંજલિ આપી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "કોમેડી કિંગ રાજુ શ્રીવાસ્તવના નિધન બાદ વધુ એક દિગ્ગજ કોમેડિયનનું નિધન -‘ઓમ શાંતિ’"

Leave a comment

Your email address will not be published.


*