મોદીની કેબિનેટમાં ફેરફાર બાદ હવે ફરી એકવાર ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે, જાણો શા માટે આવશે ગુજરાત?

Published on: 8:45 pm, Wed, 7 July 21

મોદી સરકારના મોટા ફેરફાર બાદ હવે ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં આવવાના હતા એ કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ 11 તારીખ ના રોજ અમદાવાદ આવવાના હતા પરંતુ હવે તે તારીખ રદ કરીને તેઓ 10 તારીખ ના રોજ અમદાવાદ આવવાના છે.

આ ઉપરાંત 11 તારીખના રોજ એવો કેટલાક લોકો પણ કાર્યક્રમમાં હાજર રહેશે. આ ઉપરાંત અમદાવાદમાં 12 જુલાઈના રોજ રથયાત્રાના દિવસે અમિત શાહ તેમના પરિવાર સાથે મંગળા આરતીમાં જોડાશે. કે

ગૃહમંત્રી અમીત શાહ 10 જુલાઇના રોજ સાંજે પહોંચશે. આ વખતે ના પ્રવાસમાં અમિત શાહ 27 કરોડના વિકાસના કાર્ય નું લોકાર્પણ કરશે. આ ઉપરાંત 11 તારીખના રોજ તેઓ સાણંદ AMPC નું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કરશે.

તેમજ સાઉથ બોપલમાં સિવિક સેન્ટરનું પણ લોકપણ કરવા જવાના છે.આ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 20 જૂનના રોજ અમદાવાદ આવ્યા હતા.

ત્યારે અમિત શાહ 80 કરોડથી વધુ ખર્ચ આમાં તૈયાર થયેલા 3 ફ્લાયઓવર બ્રીજનું લોકાર્પણ કર્યું હતું. ગુજરાતમાં અમદાવાદમાં હાલમાં રથયાત્રા યોજાશે કે નહીં એ વિશે કોઇ પણ નિર્ણય લેવામાં આવ્યો નથી.

પરંતુ મંદિરમાં રથયાત્રાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ ઉપરાંત હજુ તો રથયાત્રા ની પરમિશન મળી નથી તે પહેલા જ રથયાત્રાના રૂટ પર પોલીસ દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.

ઉપરાંત પોલીસ ટીમ રથયાત્રાના રૂટ પર CCTV કેમેરાથી નજર રાખશે. ઉપરાંત રથયાત્રા નીકળશે તો જે રૂટ ઉપર રથયાત્રા આવશે તે તમામ રસ્તાઓ બ્લોક કરવામાં આવે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.

Be the first to comment on "મોદીની કેબિનેટમાં ફેરફાર બાદ હવે ફરી એકવાર ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે, જાણો શા માટે આવશે ગુજરાત?"

Leave a comment

Your email address will not be published.


*