રાત્રે પ્રેમી સાથે વાત કર્યા બાદ 18 વર્ષની મોડલે પંખા સાથે લટકીને પોતાનું જીવન ટુંકાવ્યું – જાણો વિગતવાર…

Published on: 3:10 pm, Mon, 30 May 22

દેશમાં જીવન ટૂંકાવવાની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જાય છે. ત્યારે 18 વર્ષીય મોડેલે અડધી રાત્રે પંખા સાથે લટકીને પોતાનું જીવન ટુંકાવ્યું છે. આ ઘટના બનતા જ ભારે ચકચાર મચી ગઇ હતી. મળતી માહિતી અનુસાર 18 વર્ષીય સરસ્વતી દાસ નામની મોડેલે રાત્રે પંખા સાથે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું હતું. સરસ્વતી કોલકાતાના બેદિયાડાંગામાં રહેતી હતી.

મળતી માહિતી અનુસાર 28 મેના રોજ રાત્રે સરસ્વતીનું મૃતદેહ પંખા સાથે લટકતી હાલતમાં મળ્યું હતું. મળતી માહિતી અનુસાર સરસ્વતી દાસ ઘરમાં નાની સાથે સૂતી હતી. ઘરના અન્ય સભ્યો બહાર સુતા હતાં. જ્યારે રાત્રે બે વાગ્યાની આસપાસ નાનીની આંખ ખુલી ત્યારે સરસ્વતી તેની બાજુમાં ન હતી.

ત્યારબાદ નાની તપાસ કરવા માટે સરસ્વતીના રૂમમાં ગઈ ત્યારે સરસ્વતીનું મૃતદેહ પંખા સાથે લટકતી જોયું હતું.  મળતી માહિતી અનુસાર ખુબ જ નાની ઉંમરે સરસ્વતીના પિતા સરસ્વતી એટલે તેમની માતાને તરછોડીને ચાલ્યા ગયા હતા. સરસ્વતી છેલ્લા 17 વર્ષથી પોતાની માતા આરતી સાથે નાનીના ઘરે રહેતી હતી.

મળતી માહિતી અનુસાર સૌપ્રથમ સરસ્વતીની નાનીએ સરસ્વતીને પંખા સાથે લટકતી હાલતમાં જોઇ હતી. ત્યારબાદ સરસ્વતીને પરિવારના સભ્યોએ નીચે ઉતારી અને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા. પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા તો સરસ્વતીનું કરૂણ મૃત્યુ નિપજયુ હતું. મળતી માહિતી અનુસાર સરસ્વતીએ ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો હતો અને ત્યારબાદ ભણવાનું છોડી દીધું હતું.

સરસ્વતી નાના બાળકોને ટ્યૂશન કરાવીને ઘરનું ગુજરાન ચલાવવામાં મદદરૂપ થતી હતી. એટલું જ નહીં પરંતુ સરસ્વતી મોડલિંગ પણ કરતી હતી. સરસ્વતી ઘણા વિડીયો શોધ પણ કર્યા છે ઉપરાંત તે મેકઅપ આર્ટિસ્ટ તરીકે પણ કામ કરતી હતી. સરસ્વતીના મૃત્યુ બાદ પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી.

પોલીસ તપાસ અનુસાર જાણવા મળ્યું છે કે, સરસ્વતી દાસને અફેર હતું અને તેના કારણે તે ખૂબ જ ડિપ્રેશનમાં રહેતી હતી. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે સરસ્વતીના કોલ રેકોર્ડ ચેક કર્યા હતા. ત્યારે ખ્યાલ આવ્યો કે સરસ્વતી શનિવારના રોજ રાત્રે 1 વાગ્યા સુધી પોતાના પ્રેમી સાથે વાત કરતી હતી.

ફોન પર સરસ્વતીને પોતાના પ્રેમી સાથે રવિવારે કંઈક મળવું છે આ અંગે વાત થઇ હતી. આ બાબતને લઈને સરસ્વતી અને તેના પ્રેમી વચ્ચે ભારે બોલાચાલી પણ થઈ હતી. પ્રેમી સાથે વાત કર્યા બાદ સરસ્વતી પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. સમગ્ર ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "રાત્રે પ્રેમી સાથે વાત કર્યા બાદ 18 વર્ષની મોડલે પંખા સાથે લટકીને પોતાનું જીવન ટુંકાવ્યું – જાણો વિગતવાર…"

Leave a comment

Your email address will not be published.


*