સુરત બાદ હવે રાજકોટમાં રસ્તાની વચ્ચોવચ સીટી બસમાં અચાનક આગ લાગી ઉઠી, બે મુસાફરોનો આબાદ બચાવ…

Published on: 12:09 pm, Sat, 22 January 22

સુરત શહેરમાં થોડાક દિવસ પહેલા વરાછા વિસ્તારમાં એક લક્ઝરી બસમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. જ્યારે આજરોજ રાજકોટમાં રસ્તાની વચ્ચોવચ સીટી બસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર આજરોજ સવારે 9 વાગ્યાની આસપાસ ભક્તિનગર સર્કલ પાસે રસ્તાની વચ્ચોવચ સીટી બસમાં અચાનક આગ લાગી હતી.

ડ્રાઇવર અને અન્ય મુસાફરો બસમાંથી યોગ્ય સમયે બહાર નીકળી જતા કોઇ મોટી દુર્ઘટના બની નથી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને ગણતરીની મિનિટોમાં જ પર લાગેલી આગ પર કાબુ મેળવી લીધો હતો.

મળતી માહિતી અનુસાર રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ સેવાની M 13ની બસ રૂટ નંબર સાત જે બજરંગવાડાથી ભક્તિનગર સર્કલ રૂટ પર ચાલે છે. તે બસમા આજરોજ સવારે 9:20 વાગે અચાનક જ ભક્તિનગર સર્કલ સ્ટોપ પર ઊભા રહેતાં જ આગ લાગી ઉઠી હતી.

બસમાં કયા કારણોસર આગ લાગી તેનું હજુ કોઈ પણ સાચું કારણ સામે આવ્યો નથી. પરંતુ સુત્રો અનુસાર જાણવા મળી રહ્યું છે કે બસમાં શોર્ટસર્કિટથી થવાના કારણે આગ લાગી હતી.

આ ઘટના બની ત્યારે બસની અંદર બે મુસાફરો સવાર હતા. તેઓ યોગ્ય સમયે બસમાંથી નીચે ઉતરી જતા કોઈ મોટી દુર્ઘટના બની ન હતી. ઘટના બનતા જ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા.

અને આ સમગ્ર ઘટનાની જાણ થતા તાત્કાલીક ફાયર વિભાગની ટીમને કરી હતી. ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને ગણતરીની મિનિટોમાં જ બસ માં લાગેલી આગ પર કાબુ મેળવી લીધો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સુરત બાદ હવે રાજકોટમાં રસ્તાની વચ્ચોવચ સીટી બસમાં અચાનક આગ લાગી ઉઠી, બે મુસાફરોનો આબાદ બચાવ…"

Leave a comment

Your email address will not be published.


*