પાટીદાર સમાજ બાદ હવે રાજપૂત સમાજ પણ કાંઈક નવું કરવાની તૈયારીમાં, જાણો વિગતે.

Published on: 11:57 am, Sat, 24 July 21

ગુજરાત રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને તમામ રાજકીય પક્ષો વચ્ચે હલચલ મચી રહી છે ત્યારે રાજકોટમાં ભાજપના સિનિયર નેતા વજુભાઈ વાળાને ત્યાં ખૂબ જ મહત્વની બેઠક મળી હતી. ગઈકાલે રાત્રે મળેલી બેઠકમાં આગામી સમયમાં સામાજિક એકતા અને રણનીતિ માટે રાજકીય શક્તિ પ્રદર્શનની રણનીતિ ને લઈને મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા.

આ બેઠકમાં માવજી ડોડીયા, પૂર્વ મંત્રી જશાભાઇ બારડ સહિતના આગેવાનો બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં જ તેને લઈને બેઠકોના દોર ચાલુ થઈ ગયા છે.

આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને જીતવું એ ખૂબ જ મુશ્કેલ છે. કારણ કે આ વખતે આમ આદમી પાર્ટી આગામી વિધાનસભાની ચૂંટણી લડવાની છે અને આમ આદમી પાર્ટી નો વર્ચસ્વ ગુજરાતના વધી રહ્યું છે. જેને લઇને ભાજપને પોતાની બેઠકો ગુમાવવાનો ડર સતાવી રહ્યો છે.

મળતી માહિતી મુજબ આ વખતે આગામી વિધાનસભાની ચૂંટણી જ્ઞાતિ ચૂંટણી નો મોટો મુદ્દો રહેશે. ઉપરાંત સૌરાષ્ટ્રમાં વર્ષોથી જ્ઞાતિ આધારિત ચૂંટણી થતી આવે છે. ત્યારે પાટીદાર આગેવાન નરેશ પટેલે ખોડલધામ સંસ્થા બનાવીને પાટીદારોને એક કરવાનું કામ કરી રહ્યા છે.

ત્યારે ભાજપના સિનિયર નેતા વજુભાઈવાળાની આગેવાનીમાં તેમના ઘરે એક બેઠક યોજાઇ હતી. જેમાં મળતી માહિતી મુજબ રાજકોટમાં કારડીયા રાજપૂત સમાજ દ્વારા ભવાની માતાજી નું મોટું મંદિર બનાવવામાં આવશે તેવી જાહેરાતો સામે આવી હતી.

મળતી માહિતી મુજબ સંગઠનની શક્તિ ઉભી કરવા માટે લીંબડી હાઇવે પર ભવાની માતાજીનું મંદિરમાં મંદિર બનશે તેવું એલાન કરવામાં આવ્યું છે.

સૌપ્રથમ પાટીદાર સમાજના અગ્રણીઓની બેઠક બાદ કોળી સમાજના શક્તિ પ્રદર્શનથી અન્ય સમાજ પણ સક્રિય બન્યા છે. ત્યારે કારડીયા રાજપૂત સમાજ આસ્થા સાથે એકતાના પ્રતીક સમા સંગઠન બનાવવાના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.

Be the first to comment on "પાટીદાર સમાજ બાદ હવે રાજપૂત સમાજ પણ કાંઈક નવું કરવાની તૈયારીમાં, જાણો વિગતે."

Leave a comment

Your email address will not be published.


*