ઈશુદાન ગઢવી બાદ આ લોકપ્રિય ચહેરો આમ આદમી પાર્ટી માં જોડાઈ તેવી શક્યતાઓ, ચર્ચા બની તેજ.

Published on: 11:07 am, Thu, 17 June 21

આગામી વિધાનસભાની ચૂંટણીમાં પોતાનો ગઢ જમવા માટે આમ આદમી પાર્ટી ઓ તૈયારી શરૂ કરી દીધી. જ્યારે અરવિંદ કેજરીવાલ ગુજરાત આવ્યા ત્યારે ઈશુદાન ગઢવી પાર્ટીમાં જોડાયા.

ત્યારબાદ ગુજરાતના રાજુલાના ધારાસભ્ય અમરસિંહ ડેર નો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો ત્યારબાદ તમામ રાજકીય પક્ષોમાં હલચલ મચી ગઈ. ગુજરાત ના લોકપ્રિય ચહેરાઓનો આમ આદમી પાર્ટી એક ફોજ બનાવી રહી છે.

આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત રાજ્યના મોટા ચહેરાઓના સતત સંપર્ક કરવામાં આવી રહ્યા છે અને તેઓને આમ આદમી પાર્ટીમાં જોડાવવા માટે સતત પ્રયત્નો ચાલુ છે.

આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના ખેડૂત નેતા સાગર રબારી, વાસુદેવ પટેલ, પ્રવિણ રામ અને મોટીવેશનલ સ્પીકર સંજય રાવલનો સતત સંપર્ક કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક ખેડૂતો નેતાઓનો આમ આદમી પાર્ટીમાં જોડાવવા માટે આપ દ્વારા સંપર્ક કરવામાં આવી રહ્યા છે.

સૌરાષ્ટ્ર ખેડૂત નેતા રાજુ કરપડા, રતનસિંહ ડોડીયા, મહેમુદ સીડા આ તમામને તને આમ આદમી પાર્ટી દ્વારા સંપર્ક કરવામાં આવ્યો છે. હવે આમ આદમી પાર્ટી ઉત્તર ગુજરાતના ખેડૂત નેતાઓને પણ સંપર્ક કરવાના પ્રયત્નો શરુ કરી દીધા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ઈશુદાન ગઢવી બાદ આ લોકપ્રિય ચહેરો આમ આદમી પાર્ટી માં જોડાઈ તેવી શક્યતાઓ, ચર્ચા બની તેજ."

Leave a comment

Your email address will not be published.


*