શિક્ષણ મંત્રીનું પદ સંભાળ્યા બાદ જીતુભાઇ વાઘાણીએ કર્યું આ મોટું કામ,જાણો વિગતે

Published on: 3:14 pm, Wed, 22 September 21

શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ શિક્ષણ તથા વિજ્ઞાન અને ઔદ્યોગિક મંત્રી તરીકે સ્વર્ણિમ સ્કુલ ખાતે સંભાળી લીધો છે. શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ પોતાનું પદ સંભાળતા ની સાથે ગુજરાત રાજ્ય ના વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય લીધો છે.

શિક્ષણ વિભાગની વિવિધ યોજનાઓ અંતર્ગત 906 વિદ્યાર્થીઓના 7.83 કરોડની નાણાંકિય સહાય મંજૂર કરવામાં આવી છે. જેમાં મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત 383 વિદ્યાર્થીઓને રૂપિયા 4.51 કરોડની નાણાકીય સહાય મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ અંતર્ગત ફૂલ 94 વિદ્યાર્થીને 2.67 કરોડની નાણાકીય સહાય અને શોધ યોજના અંતર્ગત કુલ 429 વિદ્યાર્થીઓને 64.35 લાખ ની નાણાકીય સહાય ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત સ્ટુડન્ટ સ્ટાર્ટ અને ઇનોવેશન પોલીસી અર્તગત 5 યુનિવર્સિટી અને 5 સંસ્થાઓને 86.45 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે તેમજ રાજ્યવ્યાપી સ્માર્ટ ગુજરાત ઇન્ડિયા હેકથોન સ્પધૉમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓ ની 18 ટીમને 7.20 લાખના ઇનામો આપવામાં આવ્યા છે.

એ જ રીતે ડિજિટલ એજ્યુકેશન, ડેવલોપમેન્ટ અંતર્ગત ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના કેમ્પ માં વાઇફાઇ કરવા ડિજિટલ ક્લાસરૂમ ઉભા કરવા પ્રાયમરી સુવિધા ઉભી કરવી શૈક્ષણિક સોફ્ટવેર ની ખરીદી જેવા વિવિધ હેતુઓ માટે ચાલુ વર્ષે મંજૂર થયેલી રકમ પૈકી રૂપિયા 15 કરોડ ફાળવાયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "શિક્ષણ મંત્રીનું પદ સંભાળ્યા બાદ જીતુભાઇ વાઘાણીએ કર્યું આ મોટું કામ,જાણો વિગતે"

Leave a comment

Your email address will not be published.


*