સુરેન્દ્રનગરમાં લગ્નના 4 મહિના બાદ દીકરીએ વિડીયો બનાવીને પોતાનું જીવન ટૂંકાવ્યું, મૃત્યુના બે કલાક પહેલા પિતાને ફોન કરીને કહ્યું હતું કે, “પપ્પા આ લોકો મને…” જુઓ મોત પહેલાનો વિડીયો…

Published on: 12:31 pm, Wed, 24 May 23

સુરેન્દ્રનગર(Surendranagar): માં બનેલી એક હચમચાવી દેનારી ઘટના સામે આવી રહી છે. અહીં લગ્નના ચાર મહિના બાદ એક દીકરીના મોત થવાની ઘટના સામે આવી રહી છે. મૃત્યુ પહેલા દીકરીએ રડતા રડતા એક વિડિયો બનાવ્યો હતો અને વીડિયોમાં દીકરીએ પોતાની આપવીતી જણાવી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસના જણાવ્યા અનુસાર દીકરીએ બીમારીથી કંટાળીને સુસાઇડ(Suicide) જેવું મોટું પગલું ભરી લીધું છે.

ત્યારે દીકરીના શરીર પર અનેક ઈજાના નિશાનો તેમજ પિતા સાથે કરેલી અંતિમ વાતચીતના આધારે પરિવારના લોકોનું કહેવું છે કે દીકરીએ સુસાઇડ નથી કર્યું પરંતુ સાસરીયાઓએ તેનો જીવ લઈ લીધો છે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં 22 વર્ષીય સુનીતા નામની દીકરીના લગ્ન ચાર મહિના પહેલા બોટાદના રાણપુરના વિપુલ નામના યુવક સાથે થયા હતા. ત્યારે ગઈકાલે દીકરીએ એક વિડીયો બનાવીને સુસાઇડ કરી લીધું હતું.

પરંતુ દીકરીના શરીર ઉપર કેટલાક ઈજાના નિશાનો હતા અને દીકરીએ મૃત્યુ પહેલા પોતાના પિતા સાથે વાતચીત કરી હતી. તેના પરથી દીકરીના પરિવારજનોનું કહેવું છે કે દીકરીએ સુસાઇડ નથી કર્યું પરંતુ તેનો જીવ લેવામાં આવ્યો છે. આટલું જ નહીં પરંતુ પરિવારના સભ્યોએ કહ્યું કે જ્યાં સુધી આરોપીને પકડવામાં નહીં આવે ત્યાં સુધી દીકરીના અંતિમ સંસ્કાર નહીં કરીએ. પછી સગા સંબંધીઓએ પરિવારજનોને સમજાવ્યા હતા અને મોડી સાંજે દીકરીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

વિગતવાર વાત કરીએ તો પરિવારજનોના આક્ષેપ મુજબ ગઈકાલે દીકરીના સાસરિયાઓના પડોશીઓએ ફોન કરીને જણાવ્યું હતું કે, તમારી દીકરીનો મૃતદે ઘરમાં પડ્યો છે અને ઘરમાં બીજું કોઈ નથી. જેથી અમે તરત જ રાણપુર જવા માટે રવાના થઈ ગયા હતા. ત્યાર પછી પડોશીઓ સૌપ્રથમ મૃતદેહને બોટાદની સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યો ત્યારે જાણવા મળ્યું કે સુનીતા એ સુસાઇડ કર્યું છે. પરંતુ સુનીતા ના શરીર પર અનેક ઈજાઓના નિશાનો હોવાના કારણે પરિવાર જાણવાનો આક્ષેપ છે કે દીકરીનો જીવ લેવામાં આવ્યો છે. પરિવારના લોકોનું કેવું છે કે સુનીતા નો જીવ લઈને સાસરિયાઓ ફરાર થઈ ગયા છે.

સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલી દીકરીના પિતાએ જણાવ્યું કે, ચાર મહિના પહેલા દીકરીના લગ્ન કરાવ્યા હતા. તે લોકો દીકરીને ખૂબ જ ત્રાસ આપતા હતા અને અહીં ઘરે મોકલતા ન હતા. જ્યારે દીકરી અહીં આવે ત્યારે રાતે તેનો પતિ બે ત્રણ વખત ફોન કરીને ધમકીઓ આપતો હતો કે તું આવ એટલે હું આમ કરીશ કે તેમ કરીશ. જે દિવસે બનાવ બન્યો તે દિવસે બપોરે દીકરીનો ફોન આવ્યો હતો કે, મને આ લોકો જેવી તેવી જગ્યાએ લઈ જાય છે પણ મેં ના પાડી છે.

એના બે કલાકના સમય પછી આ લોકોએ ઘણું દબાવીને મારી દીકરીનો જીવ લઇ લીધો છે, તેના નિશાન પણ તેના ગળા પર છે. પછી બીક થી તે લોકો ડરીને દીકરીના મૃતદેહ અને અહીં મૂકીને જ ભાગી ગયા છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે મૃત્યુ પામેલી દીકરીના પરિવારજનોના નિવેદન અને વિડીયોના આધારે આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. દીકરીનો જીવ લેવામાં આવ્યો છે કે તેને સુસાઇડ કર્યું છે તેની હજુ કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. પરંતુ પોસ્ટમોર્ટમમાં તો દીકરીએ સુસાઇડ કર્યું છે તેવું જ જાણવા મળ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સુરેન્દ્રનગરમાં લગ્નના 4 મહિના બાદ દીકરીએ વિડીયો બનાવીને પોતાનું જીવન ટૂંકાવ્યું, મૃત્યુના બે કલાક પહેલા પિતાને ફોન કરીને કહ્યું હતું કે, “પપ્પા આ લોકો મને…” જુઓ મોત પહેલાનો વિડીયો…"

Leave a comment

Your email address will not be published.


*