લગ્નના 3 વર્ષ બાદ સાસરિયાઓએ પુત્રવધૂનો જીવ લઇ લીધો, ત્યારબાદ પુત્રવધૂના મૃતદેહ સાથે કર્યું એવું કે – જાણો સમગ્ર ઘટના

Published on: 3:54 pm, Tue, 17 May 22

દેશમાં હજુ પણ કેટલાક એવા લોકો છે જે દહેજ માટે કંઈપણ કરી શકે છે. ત્યારે હાલમાં દહેજ માટે પરિણીતાનો જીવ લઈ લેવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર લગ્ન બાદ વધારાનું દહેજના મળતાં પતિ અને પરિવારજનોએ મળીને પરીણિત મહિલાનો જીવ લઇ લીધો હતો. મળતી માહિતી અનુસાર ત્યારબાદ સાસરિયા પક્ષના લોકો મહિલાને ડોક્ટર પાસે લઇ ગયા હતા.

ત્યાં હાજર ડોક્ટરે મહિલાને મૃત જાહેર કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ડોક્ટરે પુત્રવધૂને મૃત જાહેર કરી ત્યારબાદ સાસરિયાઓએ મૃત્યુ પામેલી પુત્રવધૂને ગળાફાંસો આપી દીધો હતો. જેનાથી સાસરિયાઓ એવું બતાવવા માગતા હતા કે પુત્રવધૂએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું છે.

આ સમગ્ર ઘટનાને લઇને ગામના લોકોએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી મૃત્યુ પામેલી મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું અને ત્યારબાદ આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.

મૃત્યુ પામેલી મહિલાનું નામ અસુમન નિશા હતું. મહિલાના લગ્ન ત્રણ વર્ષ પહેલા થયા હતા. સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલી મહિલાના પિતાએ જણાવ્યું કે, લગ્ન થઈ ગયા બાદ દીકરીનો પતિ અને તેનો પરિવાર દીકરીને વધારે દહેજની માંગને લઈને તેની સાથે સતત માથાકૂટ કરતું હતું. એટલું જ નહીં પરંતુ ગામના લોકોએ જણાવ્યું કે, દરરોજ યુવતીના ચીસોનો અવાજ આવતો હતો.

ત્યારે રાત્રે સાસરિયાઓએ દહેજને લઈને પરીણિતાની એટલી ધુલાઈ કરી કે તેનું મૃત્યુ થઈ ગયું. ત્યારબાદ સાસરિયાઓ મહિલાને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા, ત્યાં હાજર ડોક્ટરે મહિલાને મૃત જાહેર કરી. ત્યારબાદ સાસરિયાઓ ત્યાંથી મહિલાને લાવ્યા અને ઝાડ પર લટકાવી દીધી. ત્યારબાદ ત્યાંથી ઉતારીને પલંગ પર સુવડાવી દીધી અને કહ્યું કે તેને ગળાફાંસો ખાઇ લીધો છે.

મળતી માહિતી અનુસાર ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો હતો. મહિલાના શરીર પર ઇજાના નિશાન પણ જોવા મળ્યા હતા. પોલીસે સમગ્ર ઘટનાને લઇને મૃત્યુ પામેલી મહિલાના પિતાની ફરીયાદના આધારે સાસરીયા સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "લગ્નના 3 વર્ષ બાદ સાસરિયાઓએ પુત્રવધૂનો જીવ લઇ લીધો, ત્યારબાદ પુત્રવધૂના મૃતદેહ સાથે કર્યું એવું કે – જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*