હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ ની આગાહી, રાજ્યના આ જિલ્લાઓમાં આગામી 36 કલાકમાં પડી શકે છે ધોધમાર વરસાદ…

Published on: 5:05 pm, Mon, 19 July 21

ગુજરાતમાં લાંબા સમયના વિરામ બાદ વરસાદે ફરી એક વખત એન્ટ્રી લીધી છે. ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસથી અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત વલસાડમાં પણ ભારે પવન સાથે જબરદસ્ત વરસાદ પડ્યો છે.

વલસાડમાં સતત બે દિવસથી વરસાદ પડી રહ્યો છે. તેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ઉપરાંત દમણગંગા નદીમાં પાણી છોડવાના કારણે નદી તોફાની બની ગઈ છે.

જેના કારણે દાદરા નગર હવેલી, વાપી અને ગમન ના કુલ 35 ગામને હાઇ એલર્ટ કરાયા છે. આ 35 ગામમાં નદી તોફાની બનવાના કારણે ગમે ત્યારે ગામમાં પાણી આવી શકે છે.

તેના કારણે તમામ ગામડાના લોકોને એલર્ટ કરાયા છે. અંબાલાલ પટેલ ની આગાહી મુજબ ગુજરાતમાં આગામી 36 કલાકમાં અતિભારે વરસાદ ખાબકી શકે છે.

આ ઉપરાંત આગાહીને અનુલક્ષીને મધુબન ડેમમાંથી દમણગંગા નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. ઉપરાંત ગઈકાલે રાત્રે સુરતમાં વરસાદ મન મૂકીને વરસ્યો હતો. સુરતમાં રાત્રે 8 ઇંચ વરસાદ ખાબકી ગયો હતો.

ભારે વરસાદના કારણે સુરતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા અને લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયું હતું. અને નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.

Be the first to comment on "હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ ની આગાહી, રાજ્યના આ જિલ્લાઓમાં આગામી 36 કલાકમાં પડી શકે છે ધોધમાર વરસાદ…"

Leave a comment

Your email address will not be published.


*