ભાવનગરમાં લગ્ન બાદ પ્રથમ વખત પત્ની ને સાસરે મૂકવા જતી વખતે થયું અકસ્માત, પતિનું ઘટનાસ્થળે જ મૃત્યુ…

Published on: 8:07 pm, Sat, 4 September 21

અકસ્માતની ઘટના રાજ્યમાં દિવસેને દિવસે વધી રહી છે. મોટેભાગના અકસ્માતમાં એક જણાની બેદરકારીના કારણે ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડે છે. અને અકસ્માતમાં આખાને આખા પરિવાર ખાલી થઈ જાય છે. જ્યારે ભાવનગરની અકસ્માતની ઘટના સામે આવી છે.

મળતી માહિતી મુજબ 15 દિવસ પહેલા જ લગ્ન થયા બાદ પતિ પોતાની પત્નીને પ્રથમ વખત સાસરિયા માં મુકવા જઈ રહ્યું હતું તે દરમિયાન રસ્તામાં તેમનું અકસ્માત થયું હતું.

આ અકસ્માતમાં ઘટનાસ્થળે જ તેનું મૃત્યુ થઈ ગયું હતું અને પત્નીને ઈજા પહોંચી હતી. મળતી માહિતી મુજબ જ્યારે પતિ-પત્ની પોતાની એક્ટીવા પર પોતાના સાસરીમાં જઇ રહ્યા હતા ત્યારે પાછળથી એક બેકાબૂ ટ્રકે તેમને ટક્કર મારી હતી.

અને આ ઘટનામાં બાઇક ચલાવનાર આશિષભાઈ નું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે તેમના પત્ની જયશ્રીબેનને ગંભીર ઈજા પહોંચી હતી. જયશ્રીબેન ની સારવાર માટે સર.ટી હોસ્પીટલમાં લઇ જવામાં આવ્યા હતા.

પ્રાથમિક તપાસ અનુસાર જાણવા મળ્યુ કે આશિષભાઈ બહાદુરભાઇ માવરીયા ની ઉંમર 29 વર્ષની હતી. તેમના લગ્ન 15 દિવસ પહેલા જ થયા હતા અને ત્યારબાદ આ ઘટના બની હતી.

ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ભાવનગરમાં લગ્ન બાદ પ્રથમ વખત પત્ની ને સાસરે મૂકવા જતી વખતે થયું અકસ્માત, પતિનું ઘટનાસ્થળે જ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*