સુરેન્દ્રનગર-અમદાવાદ હાઇવે પર ST બસ અને ખાનગી બસ વચ્ચે અકસ્માત, 15 લોકો ઇજાગ્રસ્ત, 1 વ્યક્તિનું મૃત્યુ…

Published on: 10:15 am, Mon, 13 December 21

ગુજરાતમાં આજકાલ અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે સુરેન્દ્રનગર અમદાવાદ હાઇવે ઉપર ની એક અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માત રવિવારના રોજ વહેલી સવારે બન્યો હતો. ખાનગી બસ અને એસટી બસ વચ્ચે જબરદસ્ત ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને 15 લોકો ઈજાગ્રસ્ત થયા છે. રવિવારના રોજ વહેલી સવારે સુરેન્દ્રનગર થી ઉપડેલી બસને છારદ ગામ પાસે અકસ્માત નડયો હતો.

મળતી માહિતી અનુસાર ખાનગી બસ એસટી બસને ઓવરટેક કરવા જતા એસટી બસ સાથે અથડાવી હતી અને અકસ્માત સર્જાયો હતો. જેમાં બસમાં સવાર ૧૫ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી આકસ્મિત ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઉપરાંત ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે તાત્કાલિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઇ જવામાં આવ્યા હતા.

અકસ્માતમાં એસટી બસના ડ્રાઇવર અને કંડકટરને ઇજા પહોંચી હતી. ઉપરાંત અકસ્માત 6 મહિલાઓ, 2 બાળકો અને 7 પુરુષો ઇજાગ્રસ્ત થયા હતા. તેમાંથી મોટાભાગના લોકોને માથાના અને પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.

અકસ્માતમાં અમદાવાદના મુકેશભાઈ નામના એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે એસ.ટી.બસનો એક સાઇડનો ભાગ ભાંગીને ભૂકો થઇ ગયો હતો. અને ખાનગી બસ ઘટનાસ્થળે જ પલટી ખાઈ ગઈ હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સુરેન્દ્રનગર-અમદાવાદ હાઇવે પર ST બસ અને ખાનગી બસ વચ્ચે અકસ્માત, 15 લોકો ઇજાગ્રસ્ત, 1 વ્યક્તિનું મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*