‘આપ’ રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી પ્રેસ કોન્ફરન્સ કરશે અને ટાઉનહોલ કાર્યક્રમના માધ્યમથી ગુજરાતની જનતા સમક્ષ પોતાની વાત રજૂ કરશે: ગોપાલ ઇટાલિયા

Published on: 4:23 pm, Mon, 19 September 22

મિત્રો ગુજરાત રાજ્યની વિધાનસભાની ચૂંટણી જેમ નજીક આવી રહી છે. તેમ તેમ તમામ રાજકીય પાર્ટીઓ પોતાનો પક્ષ મજબૂત કરવાની કામગીરીમાં લાગી ગઈ છે. આ વખતે ની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તમામ બેઠકો ઉપર પોતાના ઉમેદવારો ઊભા કરશે.

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા એ વિડિયોના માધ્યમથી એક મહત્વ જાણકારી આપતા જણાવ્યું કે, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી આવતીકાલે એટલે કે 20 સપ્ટેમ્બર ના રોજ વડોદરા આવવાના છે. વધુમાં ગોપાલ ઇટાલી જણાવ્યું કે વડોદરામાં અરવિંદ કેજરીવાલજી એક પ્રેસ કોન્ફરન્સ કરશે અને ટાઉન હોલ કાર્યક્રમના માધ્યમથી ગુજરાતની જનતા સમક્ષ પોતાની વાતો રજૂ કરશે.

વધુમાં ગોપાલ ઇટાલી માહિતી આપતા જણાવ્યું કે, દિલ્હી સરકારના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા પણ પરમદિવસે અમદાવાદ ખાતે વધારી રહ્યા છે. એટલે કે મનીષ સિસોદિયા 21 સપ્ટેમ્બર ના રોજ અમદાવાદમાં આવશે. તેઓ અમદાવાદમાં પધારશે અને સાબરમતી આશ્રમથી પૂજ્ય બાપુના દર્શન કરી ગુજરાતની અંદર યાત્રાની શરૂઆત કરશે. ગોપાલ ઇટાલીયા એ જણાવ્યું કે ઉત્તર ગુજરાતમાં આ યાત્રા ફરશે અને લોકોને પરિવર્તન લાવવા માટે મનીષ સિસોદિયા હાકલ કરશે

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "‘આપ’ રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી પ્રેસ કોન્ફરન્સ કરશે અને ટાઉનહોલ કાર્યક્રમના માધ્યમથી ગુજરાતની જનતા સમક્ષ પોતાની વાત રજૂ કરશે: ગોપાલ ઇટાલિયા"

Leave a comment

Your email address will not be published.


*