દિલ્હીના આપના ધારાસભ્યને મળ્યો ગુજરાત નો પરચો, કાર્યાલયના ઉદ્ઘાઘાટન સમયે ખિસ્સું કપાયું.

Published on: 3:27 pm, Mon, 14 June 21

આજ રોજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. સવારે અમદાવાદ પહોંચ્યા હતા તેમણે અમદાવાદ ખાતે નવરંગપુરામાં પ્રદેશનું એક કાર્યાલયનું ઉદઘાટન કર્યું છે. આ દરમિયાન અરવિંદ કેજરીવાલની સાથે દિલ્હીના ધારાસભ્ય ગુલાબસિંહ યાદવ પણ આવ્યા હતા.

ઉદ્ઘાટન દરમ્યાન ધારાસભ્ય ગુલાબસિંહ યાદવ પાકીટ ચોરાઈની ઘટના બની છે. પાકીટ ચોરવા પાછળ એક કારણ છે કે અરવિંદ કેજરીવાલ ધારી પાર્ટી કાર્યાલય પહોંચ્યા ત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત હતા તે સમયે આ ઘટના બની.

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વાત કરી રહ્યા હતા કે કોંગ્રેસે ભાજપના ખીચામાં છે પરંતુ ઉદ્ઘાટન દરમિયાન પોતાના કાર્યકર્તાનું જ પાકીટ ચોરાઈ ગયું.

આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અમદાવાદની મુલાકાતે આવ્યા હતા ત્યારબાદ તેમને એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યુ કે છેલ્લા 27 વર્ષથી ગુજરાત રાજ્યમાં ભાજપનું શાસન ચાલી રહ્યું છે. એમને કહ્યું કે ગુજરાતમાં એમ કહેવાય છે કે કોંગ્રેસ ભાજપના ખિસ્સામાં છે.

અરવિંદ કેજરીવાલે કહ્યું કે ભાજપ ને જ્યારે જરૂર પડે ત્યારે કોંગ્રેસ સપ્લાય કરે છે. અને આ સાથે ગુજરાતના ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે અને ગુજરાતની જનતા ખૂબ જ પરેશાન છે અને વેપારીઓ ધંધો ડરથી કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "દિલ્હીના આપના ધારાસભ્યને મળ્યો ગુજરાત નો પરચો, કાર્યાલયના ઉદ્ઘાઘાટન સમયે ખિસ્સું કપાયું."

Leave a comment

Your email address will not be published.


*