આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે,જાણો તેમના કાર્યકમો વિશે

Published on: 5:38 pm, Sun, 11 September 22

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈશુદાન ગઢવીએ વિડીયોના માધ્યમથી મહત્વપૂર્ણ માહિતી આપતા જણાવજો કે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના માનનીય મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે આવે છે. અરવિંદ કેજવાળ 11 સપ્ટેમ્બર ની સાંજે મતલબ કે આજરોજ સાંજે 7:00 વાગ્યે

અમદાવાદ એરપોર્ટ પર આવશે ને રાત્રી રોકાણ અમદાવાદમાં કરશે. પાર્ટીના મુખ્ય નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે.બીજા દિવસે મતલબ કે આવતીકાલે 12 સપ્ટેમ્બર 2022 માં રોજ અરવિંદ કેજરીવાલ સવારે 10 વાગ્યે અમદાવાદ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા યોજાયેલ ઓટો ડ્રાઇવર માટેના ટાઉન હોલ કાર્યક્રમમાં ભાગ લેશે ત્યારબાદ

બપોરે 12:00 વાગે અમદાવાદ ખાતે ટ્રેડર્સ માટેના કાર્યક્રમમાં ભાગ લેશે અને સાંજે 4:00 વાગ્યે અમદાવાદ ખાતે જ એડવોકેટ માટેના ટાઉનહોલ કાર્યક્રમમાં ભાગ લેશે.અરવિંદ કેજરીવાલ 13 સપ્ટેમ્બર 2022 ના રોજ સવારે નેતાઓને કાર્યકરો જોડે ચર્ચા કરશે અને એ દરમિયાન નવા જોઇનિંગ પણ કરશે. બપોરે 12:00 વાગે અમદાવાદ ખાતે

ગુજરાતની જનતા માટે મહત્વપૂર્ણ ગેરંટી ની ઘોષણા કરશે અને ગેરંટીની ઘોષણા બાદ અરવિંદ કેજરીવાલ સાંજે ચાર વાગે સફાઈ કર્મચારી માટેના ટાઉન હોલ કાર્યક્રમમાં ભાગ લેશે અને ટાઉનહોલ કાર્યક્રમના સમાપન બાદ અરવિંદ કેજરીવાલ સાંજે દિલ્હી જવા રવાના થશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે,જાણો તેમના કાર્યકમો વિશે"

Leave a comment

Your email address will not be published.


*