આમ આદમી પાર્ટી તમારા બાળકો અને પરિવાર માટે ઉમ્મીદ છે : અરવિંદ કેજરીવાલ

Published on: 4:09 pm, Mon, 14 November 22

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં પધાર્યા છે અને અરવિંદ કેજરીવાલ બપોરે અમદાવાદ એરપોર્ટ ઉપર આવી પહોંચ્યા હતા અને પ્રદેશ નેતાઓને કાર્યકરો એરપોર્ટ પર અરવિંદ કેજરીવાલનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. એરપોર્ટ પર તેમને મીડિયા ને

સંબોધતા કહ્યું કે જેમ જેમ ગુજરાતની ચૂંટણી નજીક આવી રહી છે તેમ આપણે જોયું કે કોંગ્રેસ ખરાબ રીતે ભાંગી પડ્યું છે અને આજે કોંગ્રેસને કોઈ વોટ નથી આપતો અને બે પ્રકારના મતદારો છે એક જેમને કોંગ્રેસને મત આપ્યો કારણ કે તેઓ ભાજપને નફરત કરતા હતા અને ભાજપને મત આપવા માંગતા ન હતા તેઓ ભાજપના 27 વર્ષના કુશાસનથી ખૂબ જ કંટાળી ગયા હતા.

બીજા પ્રકારના મતદાર એવો છે કે જેઓ ભાજપથી કંટાળી ગયા હતા પરંતુ કોંગ્રેસને વધુ નફરત કરે છે તેથી તેઓ મજબૂરીમાં ભાજપને મત આપતા હતા તો તમામ લોકો આજે પાર્ટીને વોટ આપી રહ્યા છે અને કોંગ્રેસના તમામ મતદારો પણ આમ આદમી પાર્ટીને વોટ આપી રહ્યા છે અને જે લોકો 27 વર્ષના શાસનથી ખૂબ જ પરેશાન થઈ ચૂક્યા છે તે લોકો પણ આમ આદમી પાર્ટીને મત આપવા જઈ રહ્યા છે તેવું અરવિંદ કેજરીવાલ એ જણાવ્યું હતું.

અરવિંદ કેજરીવાલ એ જણાવ્યું કે મારું અનુમાન છે કે આ વખતે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનું વોટ શેર 13 ટકા કરતાં પણ નીચે જશે અને તેમને ચાર પાંચ બેઠકો મળશે પરંતુ ગુજરાતની જનતાને વિનંતી કરવા માંગુ છું કે આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે સીધો મુકાબલો છે અને જો હવે કોઈ કોંગ્રેસનો હાડકોર મતદાર હોય તો પણ કોંગ્રેસને મત આપીને પોતાનો મત વેડફવો જોઈએ નહીં.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આમ આદમી પાર્ટી તમારા બાળકો અને પરિવાર માટે ઉમ્મીદ છે : અરવિંદ કેજરીવાલ"

Leave a comment

Your email address will not be published.


*